Home Religion Why Do Dogs And Cats Cry At Night Astrology Signs Shastra Beliefs Scientific Reason

રાતના સમયે કૂતરા કે બિલાડીનું રડવું એટલે આફતનું એંધાણ : જાણો શું છે તેની પાછળનું કારણ?

રાતના સમયે કૂતરા કે બિલાડીનું રડવું એટલે આફતનું એંધાણ
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 05:00 PM IST

આપણે ત્યાં વર્ષોથી એવી માન્યતા પ્રવર્તે છે કે પશુઓ અને પક્ષીઓમાં માણસ કરતાં વધુ સિક્સ સેન્સ હોય છે. કુદરતે તેમને એવી શક્તિ આપી છે જેના કારણે તેમને આવનારી મુસીબતનો અણસાર વહેલો આવી જાય છે. ઘણીવાર તમે જોયું હશે કે આસપાસના વાતાવરણમાં ફેરફાર થતાં પાલતુ પ્રાણીઓના વર્તનમાં અચાનક બદલાવ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાતના સમયે કૂતરા અથવા બિલાડીનું રડવું સામાન્ય ઘટના નથી. આ રડવાનો અવાજ ભવિષ્યમાં બનનારી કોઈ ઘટના તરફ ઈશારો કરે છે. જો તમારા વિસ્તારમાં પણ રાત્રે આવા અવાજો સંભળાય તો તે કયા સંકેત આપે છે તે જાણવું ખૂબ જરૂરી છે.

કૂતરાનું રડવું અશુભ સંકેત

રાત્રિના અંધકારમાં અને સુમસામ રસ્તા પર જો અચાનક કૂતરાનો રડવાનો અવાજ આવે તો તેને શુકનિયાળ માનવામાં આવતું નથી. લોકવાયકા અને માન્યતાઓ મુજબ આ કોઈ અશુભ ઘટના બનવાનો સંકેત છે. ઘણીવાર એવું બને છે કે કૂતરાના રડ્યા બાદ આસપાસમાંથી કોઈ માઠા સમાચાર મળે છે. એવું પણ કહેવાય છે કે જો કૂતરાઓ સતત રડતા હોય તો તે કોઈ કુદરતી આફત આવવાની આગાહી હોઈ શકે છે. આવા સમયે તેમના વર્તનમાં સ્પષ્ટ ફેરફાર જોઈ શકાય છે અને તેઓ ભયભીત જણાતા હોય છે.

બિલાડીનું રડવું અને મુસીબત

કૂતરાની જેમ બિલાડીનું રડવું પણ જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ મનાય છે. ખાસ કરીને જો કોઈના ઘરના ઉંબરે આવીને બિલાડી રડવા લાગે તો તે ઘર પર સંકટ આવવાની નિશાની માનવામાં આવે છે. આનો અર્થ એવો થઈ શકે કે પરિવારના કોઈ સભ્ય પર મુસીબત આવી શકે છે અથવા કોઈ અનહોની થઈ શકે છે. આ ઉપરાંત અચાનક સૂતેલી બિલાડી દેખાય તો તે નાની મોટી બીમારી આવવાનો સંકેત આપે છે. જોકે આ માત્ર માન્યતાઓ છે અને તેની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી.

રાત્રે ગાયનું બોલવું દુર્લભ ઘટના

શાસ્ત્રોમાં કૂતરા અને બિલાડી ઉપરાંત રાત્રે ગાયના ભાંભરવાને પણ સારું માનવામાં આવતું નથી. ગાય સામાન્ય રીતે રાત્રે અવાજ કરતી નથી અને તેનો અવાજ સવારના સમયે વધુ સંભળાય છે. પરંતુ જો રાત્રે ગાય બોલે તો તે ચેતવણી સમાન છે. આ સંકેત આપે છે કે નજીકના વિસ્તારમાં કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. ગાયનું રાત્રે બોલવું ખૂબ દુર્લભ ગણવામાં આવે છે અને તે સાવચેત રહેવાનો ઈશારો કરે છે.

વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ

ધાર્મિક માન્યતાઓથી પરે આ બાબતનું એક વ્યવહારિક અને વૈજ્ઞાનિક પાસું પણ છે. ઘણીવાર શિયાળાની ઋતુમાં વધારે પડતી ઠંડી લાગવાને કારણે કે શરીરમાં કોઈ પીડા થતી હોય ત્યારે પણ મૂંગા પ્રાણીઓ રડીને પોતાની વેદના વ્યક્ત કરતા હોય છે. આ ઉપરાંત ભૂખ કે અન્ય શારીરિક તકલીફ પણ તેમના રડવા પાછળનું કારણ હોઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now