When will "Ro-Ko" play for Team India: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ સમાપ્ત થયા પછી, ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તેઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય જર્સીમાં ક્યારે જોશે? ગયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વનડે સિરીઝમાં રમ્યા ત્યારે લોકોને રાહત થઈ હતી. હકીકતમાં, તે પહેલાં, બંનેને લગભગ સાત મહિના સુધી ભારતીય જર્સીમાં રમવાની તક મળી ન હતી. હવે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પછી, ફેન્સને ફરી એકવાર 'Ro-Ko' જોવા માટે લાંબો સમય રાહ જોવી પડશે.
ન્યુઝીલેન્ડ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન
ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે અને પછી નવેમ્બર-ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે 3 ODI મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં પ્રવેશ કર્યો. ઓન પેપર ભારતીય ટીમ મજબૂત દેખાતી હતી, પરંતુ મેદાન પર વાર્તા સંપૂર્ણપણે અલગ હતી, અને ન્યૂઝીલેન્ડે ભારતમાં આવીને ભારતને 2-1 થી હરાવીને સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો. આ સિરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, તેને 3 મેચમાં ફક્ત 61 રન બનાવ્યા. આ દરમિયાન, વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હતો. તેને પહેલી મેચમાં 93 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. તે રાજકોટમાં ફક્ત 23 રન જ બનાવી શક્યો, જ્યાં ભારત હારી ગયું. નિર્ણાયક મેચમાં, કોહલીએ 108 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી. જો વિરાટ કોહળીને ટોપ ઓર્ડરમાંથી થોડો સપોર્ટ મળ્યો હોત, તો ભારત ત્રીજી ODI માં સરળતાથી જીતી શક્યું હોત. હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીએ વિરાટ કોહલી સાથે શાનદાર પાર્ટનરશીપ કરીને ટીમ ઈન્ડિયાની જીતની આશા જીવંત રાખી હતી, પણ વિરાટ કોહલી પાસે હર્ષિત રાણા અને નીતિશકુમાર રેડ્ડી પછી પાર્ટનરશીપ કરવા માટે કોઈ ખેલાડી રહ્યો જ નહીં.
હવે શું? રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી ક્યારે જોવા મળશે?
હવે પ્રશ્ન એ છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમ માટે ક્યારે રમશે? રણજી ટ્રોફીની બીજી આવૃત્તિ ડોમેસ્ટિક ક્રિકેટમાં આવી રહી છે, પરંતુ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી તેઓ ભાગ લેશે નહીં. વધુમાં, બંનેમાંથી કોઈ પણ 2026 ના T20 વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં, કારણ કે, તેઓએ બાર્બાડોસમાં છેલ્લો T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ફેન્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને IPL 2026 માં સાથે જોશે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમશે અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમશે.
ભારતીય ટીમની આગામી ODI સિરીઝ ક્યારે થશે?
રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમ માટે આગામી ODI સિરીઝ જૂન 2026 માં થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાન એક ટેસ્ટ અને ત્રણ ODI મેચનો ભારત પ્રવાસ કરે તેવી શક્યતા છે. જોકે શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સિરીઝની અપેક્ષા છે, કારણ કે, ભારત પાસે એશિયન ટીમો સાથે ઘણા દ્વિપક્ષીય ઓપ્શન નથી. ત્યારપછી ભારત જુલાઈ 2026 માં ત્રણ મેચની ODI સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જે 14 જુલાઈથી શરૂ થશે. આ મેચો Edgbaston, Cardiff અને Lords માં રમાશે. જો અફઘાનિસ્તાન સિરીઝ થાય છે, તો રોહિત શર્મા અને વિરાટ કોહલી 2026 ના અંત સુધીમાં ભારત માટે લગભગ 15 વધુ વનડે રમી શકે છે.
ભારતનો ODI શેડ્યૂલ (2026)
ભારત જૂન 2026 માં અફઘાનિસ્તાન સામે ઘરેલુ મેદાન પર ત્રણ ODI રમવાની અપેક્ષા રાખે છે. ત્યારપછી જુલાઈ 2026 માં ઇંગ્લેન્ડનો ત્રણ મેચનો ODI પ્રવાસ થશે. વેસ્ટ ઇન્ડીઝ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 માં ત્રણ ODI માટે ભારતનો પ્રવાસ કરશે. ત્યારપછી ભારત ઓક્ટોબર-નવેમ્બર 2026 માં ત્રણ ODI માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ વર્ષના અંતમાં, ડિસેમ્બર 2026 માં શ્રીલંકા ત્રણ ODI માટે ભારતનો પ્રવાસ કરશે.





















