Home Gujarat Ward 10 Aimim Win Congress Loss Gujarat

ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 10માં ઉડ્યો પતંગ : AIMIMની પેનલનો થયો વિજય

AIMIMની પેનલના 4 ઉમેદવારની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 28, 2026, 09:28 AM IST

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીમિત રહેલી ટક્કરમાં હવે AIMIMએ પણ પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવી છે. આ વોર્ડમાં AIMIMએ પ્રથમ વખત પોતાનું ખાતું ખોલ્યું છે, જે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાના સંકેત આપે છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results Live : અમદાવાદ સહિત 15માંથી 11 મહાનગરોમાં ભગવો લહેરાયો! ચૂંટણી પરિણામોને લેટેસ્ટ અપડેટ, જાણો ક્યાં-કોણ હાર્યું કોણ જીત્યું

આ ચૂંટણીમાં AIMIMના ઉમેદવારો ફહીમ શેખ, મનોજ વસાવા, મુનિરાબાનુ કુરેશી અને સાદીકાબીબી શેખ વિજેતા બન્યા છે. ચારેય ઉમેદવારોની જીતને AIMIM માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પાર્ટીના કાર્યકરોમાં આ જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આ જીત પાર્ટી માટે વિસ્તારમાં મજબૂત પાયો પુરવાર થઈ શકે છે.

નવા વિકલ્પ તરફ મતદારોનો ઝુકાવ

વોર્ડ નંબર 10માં કોંગ્રેસે બે સીટ ગુમાવતા પાર્ટીને સીધુ રાજકીય નુકસાન થયું છે. લાંબા સમયથી આ વિસ્તાર કોંગ્રેસ માટે મજબૂત માનવામાં આવતો હતો પરંતુ આ વખતે મતદારોના વલણમાં બદલાવ સ્પષ્ટ દેખાયો છે. AIMIM તરફ મતદારોનો ઝુકાવ કોંગ્રેસ માટે ચિંતાજનક માનવામાં આવે છે ખાસ કરીને ત્યારે જ્યારે ત્રીજો વિકલ્પ મજબૂત બની રહ્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે સ્થાનિક મુદ્દાઓ, પ્રતિનિધિત્વની લાગણી અને સંગઠનાત્મક કામગિરી જેવા પરિબળોએ AIMIMને ફાયદો પહોંચાડ્યો હોઈ શકે છે. AIMIMએ ચૂંટણી પહેલા વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો અને સ્થાનિક સમસ્યાઓને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવ્યા હતા, જે મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટ મનપા ચૂંટણીમાં રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર : ભાજપે વોર્ડ નં. 2 માં જીત નોંધાવી

AIMIM માટે નવી શરૂઆત

આ જીત AIMIM માટે માત્ર એક શરૂઆત છે કે તે વિસ્તારના રાજકારણમાં લાંબા ગાળે અસરકારક ભૂમિકા ભજવી શકશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. હાલમાં તો પાર્ટીએ વોર્ડ નંબર 10માં મજબૂત પ્રવેશ કર્યો છે અને આવનારી ચૂંટણીઓ માટે પોતાનું સ્થાન મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત : લોધીકા જિલ્લા પંચાયત બેઠક પર 1100થી વધુ મતો મેળવી ભવ્ય વિજય

વિજેતા ઉમેદવાર ફહીમ શેખના જણાવ્યા મુજબ, તેઓ વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ પર ખાસ ધ્યાન આપશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે AIMIM સ્થાનિક સ્તરે પોતાની છાપ મજબૂત બનાવવા માટે સક્રિય રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now