Home Gujarat Two Children Die After Drowning In Narmada Canal

નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત : આજાવાડા ગામમાં અરેરાટી

નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
Published by: OBS Bureau
Last Updated: Oct 19, 2025, 05:43 AM IST

વાવ-થરાદ જિલ્લામાં આવેલા થરાદ તાલુકાના આજાવાડા ગામે એક દુખદ ઘટના બની છે. અહીં નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી મુજબ, બંને બાળક કેનાલમાં પાણી પીવા ગયા હતા ત્યારે અચાનક પગ લપસતા પાણીમાં પડી ગયા હતા.

બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા

ઘટના સમયે નજીકમાં કોઇ ન હોઈ, તેઓને તરત બચાવી શકાયું નહીં. પછીથી આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા.

પરિવારમાં માતમ છવાયો

તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યા છે. બંને નિર્દોષ બાળકોના મોતથી આખા ગામમાં શોક અને અરેરાટીનું માહોલ છવાઈ ગયો છે. તેમજ પરિવારમાં માતમ છવાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય