આજે 31 ડિસેમ્બર છે એટલે કે કેલેન્ડર વર્ષ 2025નો અંતિમ દિવસ. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો આ દિવસ ભારત માટે અત્યંત મહત્વનો રહ્યો છે. આજથી 425 વર્ષ પહેલા (વર્ષ 1600માં) આજના દિવસે જ બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. વેપારના બહાને ભારત આવેલી આ કંપનીએ ધીરે-ધીરે દેશના વહીવટ પર કબજો જમાવ્યો અને ભારતીયોએ લગભગ 150 વર્ષ સુધી બ્રિટિશ ગુલામી સહન કરવી પડી હતી.
આ ઉપરાંત, વર્ષ 1984માં આજના દિવસે રાજીવ ગાંધીએ માત્ર 40 વર્ષની વયે ભારતના સૌથી યુવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ચાલો જાણીએ ૩૧ ડિસેમ્બરની અન્ય ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે:
31 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
2014: ચીનના શાંઘાઈમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 36 લોકોના કરુણ મોત થયા હતા.
2001: ભારતે પાકિસ્તાનને 20 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી સોંપી હતી.
1999: ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC 814 ને હાઇજેક કરી અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવી હતી. 7 દિવસના તણાવ બાદ 190 મુસાફરો સુરક્ષિત મુક્ત થયા હતા.
1988: ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ મથકો પર હુમલો ન કરવા અંગેના મહત્વના કરાર પર હસ્તાક્ષર થયા હતા.
1984: રાજીવ ગાંધી ભારતના 7મા વડાપ્રધાન બન્યા. આ જ દિવસે મોહમ્મદ અઝહરુદ્દીને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
1929: લાહોર અધિવેશનમાં મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 'પૂર્ણ સ્વરાજ' માટેનું આંદોલન શરૂ કર્યું હતું.
1861: આસામના ચેરાપુંજીમાં 22,990 મીમી વરસાદ નોંધાયો હતો, જે વિશ્વમાં કોઈ પણ સ્થળે નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે.
31 ડિસેમ્બરના રોજ જન્મેલા મહાનુભાવો
1925: જાણીતા સાહિત્યકાર શ્રીલાલ શુક્લનો જન્મ થયો હતો.
1926: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા બનારસી દાસ ગુપ્તાનો જન્મ થયો હતો.
31 ડિસેમ્બરના રોજ થયેલા નિધન
1956: મધ્યપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લનું અવસાન થયું હતું.
2003: પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર કુશળ કુશવાહાનું નિધન થયું હતું.
આમ, 31 ડિસેમ્બરનો દિવસ વિશ્વ અને ભારતના ઇતિહાસમાં અનેક ઉતાર-ચઢાવ અને મહત્વની સિદ્ધિઓનો સાક્ષી રહ્યો છે.





















