Home National Tmc Riju Dutta Warning Mamata Banerjee Party Crisis Gujarati

“પાર્ટી માત્ર સાઇનબોર્ડ બની જશે” : મમતા બેનર્જી સામે બળવાખોરી તેજ? સસ્પેન્ડ કરાયેલા રિજુ દત્તાની ચેતવણી

West Bengal Politics
Published by: Viral Patel
Last Updated: Jun 04, 2026, 11:51 AM IST

West Bengal Politics: તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી હકાલપટ્ટી કરાયેલા અને બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ મમતા બેનર્જીને મોટો ઝટકો આપતા દાવો કર્યો છે કે તેમની સાથે પાર્ટીના 58 ધારાસભ્યો છે અને તેમને વિરોધ પક્ષના નેતા ચૂંટવામાં આવ્યા છે. બીજી તરફ, ટીએમસીમાંથી હાંકી કઢાયેલા અન્ય એક નેતા રિજુ દત્તાએ પણ આ અંગે કડક ચેતવણી આપતા કહ્યું છે કે ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ ઋતબ્રતને સમર્થન આપ્યું છે.

રેલ્વે ફૂડ પર હવે AIની બાજ નજર! : ખોરાકમાં માખી-વંદો અને નાની જીવાતો પણ તરત પકડી પાડશે સ્માર્ટ કેમેરા! જાણો શું છે IRCTC ની હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ

માત્ર સાઈન બોર્ડ જ બચી જશે

રિજુ દત્તાએ જણાવ્યું કે આ આખું પગલું કાનૂની પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યું છે અને હવે તેના પર સવાલ ઉઠાવવાની કોઈ અવકાશ નથી. તેમનો દાવો છે કે ઋતબ્રતના પક્ષમાં ધારાસભ્યોની સંખ્યા સતત વધી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે તમામ ધારાસભ્યો મમતા બેનર્જીને પાર્ટીના નેતા માને છે, પરંતુ અભિષેક બેનર્જીને નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી અને તેમના પર "બૉસ કલ્ચર" ચલાવવાનો આરોપ લગાવ્યો છે. દત્તાએ ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું કે જો મમતા બેનર્જી હજી પણ પરિસ્થિતિને નહીં સમજે, તો ટૂંક સમયમાં જ પાર્ટી માત્ર એક "સાઈન બોર્ડ" બનીને રહી જશે.

નોંધનીય છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે. ક્યારેય 200થી વધુ બેઠકો ધરાવતી પાર્ટી હવે ઘટીને માત્ર 80 ધારાસભ્યો સુધી સીમિત થઈ ગઈ છે. શુભેન્દુ અધિકારી સામે ભવાનીપુર બેઠક પર મળેલી હારે મમતા બેનર્જીની રાજકીય સ્થિતિને વધુ એક મોટો ઝટકો આપ્યો છે.

હૈદરાબાદના હેલ્મેટ માર્કેટમાં અચાનક ભભૂકી ઉઠી ભીષણ આગ! : ધુમાડાથી બજારમાં અફરાતફરી, 7 સાત ફાયર એન્જિન તૈનાત

મમતાની મુશ્કેલીઓ વધી

આ દરમિયાન, બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને સમર્થન પત્ર સોંપીને ઋતબ્રત બેનર્જીને પોતાના નેતા જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા અગાઉ જ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને હાંકી કાઢવામાં આવ્યા છે, પરંતુ આ પગલાથી બળવો શાંત થવાને બદલે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મમતા બેનર્જી સામે તેમની લાંબી રાજકીય કારકિર્દીનો આ સૌથી મોટો પડકાર છે, જોકે તેમની વાપસીની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now