Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂર પછી અલ-કાયદાની ભારતીય ઉપમહાદ્ધિપ શાખા (AQIS) એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. આ નિવેદન અસ-સહાબ મીડિયા દ્વારા આવ્યું છે.
AQISના નિવેદનમાં શું લખ્યું છે?
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "6 મે,2025ની રાત્રે ભારતની 'ભગવા સરકારે' પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો. ખાસ કરીને મસ્જિદો અને વસાહતોને નિશાન બનાવવામાં આવી હતી. આમાં ઘણા મુસ્લિમો શહીદ અને ઘાયલ થયા હતા. અમે અલ્લાહના છીએ અને તેની પાસે પાછા ફરીશું. અલ્લાહ શહીદોને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે અને ઘાયલોને જલ્દી સાજા કરે, આમીન. આ હુમલો ભગવા સરકારના ગુનાઓની યાદીમાં બીજો કાળો અધ્યાય છે."
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે "ઈસ્લામ અને મુસ્લિમો સામે ભારતનું યુદ્ધ નવું નથી, તે વર્ષોથી ચાલી રહ્યું છે. ભારત અને કાશ્મીરમાં મુસ્લિમોએ ઘણા જુલમ સહન કર્યા છે. મોદી સરકાર લશ્કરી રાજકીય, સાંસ્કૃતિક અને મીડિયા માધ્યમો દ્વારા ઇસ્લામ અને મુસ્લિમોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે."
નિવેદનમાં લખ્યું છે કે "અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ મુસ્લિમો માટે ભારત સામે જેહાદ છે. અલ્લાહનું નામ ઉંચુ કરવું, ઇસ્લામ અને મુસ્લિમોનું રક્ષણ કરવું અને પીડિત લોકોને મદદ કરવી એ આપણી ફરજ છે. હવે ઉપમહાદ્ધિપના મુસ્લિમોએ તેમના સમર્થનમાં ઉભા રહેવું જોઈએ. અમે શપથ લઈએ છીએ કે અલ્લાહની મદદથી અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે મુસ્લિમો પરના દરેક જુલમનો બદલો ન લઈએ અને અલ્લાહનું નામ ઉંચુ ન થાય."






