Shreyas Iyer received a message : ભારતીય ક્રિકેટ ટીમમાં અવારનવાર મોટા ફેરફારો જોવા મળતા હોય છે, પરંતુ તાજેતરમાં T20 ટીમની કેપ્ટનશીપને લઈને જે નિર્ણય લેવાયો છે તેણે બધાને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમને શાનદાર નેતૃત્વ આપીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર દિગ્ગજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવની જગ્યાએ હવે મુંબઈના જ તેના સાથી ખેલાડી શ્રેયસ ઐયરને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આટલા મોટા ફેરફાર છતાં સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવે જે ખેલદિલી બતાવી છે, તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. સૂર્યાએ નવા કેપ્ટન શ્રેયસ ઐયર માટે એક ખૂબ જ સુંદર અને ભાવુક પોસ્ટ શેર કરીને તેને પૂરો સાથ આપવાની જાહેરાત કરી છે.
મોટા ફેરફાર વચ્ચે સૂર્યાની અદ્ભુત ખેલદિલી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી દેવજીત સૈકિયા અને ચીફ સિલેક્ટર અજિત અગરકર દ્વારા સત્તાવાર રીતે શ્રેયસ ઐયરના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેની સાથે જ સૂર્યકુમાર યાદવનો કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ખેલાડી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવે અથવા ટીમમાં તેનું સ્થાન જોખમમાં મૂકાય, ત્યારે નિરાશા જોવા મળતી હોય છે. પરંતુ સૂર્યાએ આ બાબતને ખૂબ જ સકારાત્મક રીતે લીધી છે. તેણે શ્રેયસ ઐયરને દિલથી અભિનંદન આપ્યા છે. આ બંને ખેલાડીઓ ઘણા લાંબા સમયથી મુંબઈની ઘરેલુ ક્રિકેટ ટીમમાં સાથે રમી ચૂક્યા છે અને તેમની વચ્ચેનો આ જૂનો સંબંધ આજે પણ એટલો જ મજબૂત દેખાઈ રહ્યો છે.
IPL સ્ટાર વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર એન્ટ્રી!: શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં T20ની નવી ટીમ જાહેર, જાણો કોણે કોણે મળ્યું સ્થાન
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સૂર્યાનો ભાવુક મેસેજ
સૂર્યકુમાર યાદવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ સ્ટોરી શેર કરી છે, જેમાં તે શ્રેયસ ઐયરને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટોની સાથે સૂર્યાએ લખ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે એક મુંબઈનો ખેલાડી હવે ભારતીય T20I ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. શ્રેયસને આગળની સફર માટે શુભકામનાઓ આપતા તેણે ઉમેર્યું કે, આપણી આ ટીમ ખૂબ જ અદ્ભુત છે અને ટીમના બધા જ છોકરાઓ તમારા નવા વિચારો અને યોજનાઓ પર ચોક્કસપણે ઘણો સારો પ્રતિસાદ આપશે. આ મેસેજના અંતમાં તેણે મજાકિયા અંદાજમાં એવું પણ લખ્યું કે, તું જેવો છે તેવો જ રહેજે, હું તારા પર બારીકાઈથી નજર રાખી રહ્યો છું.
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે ખાસ પ્રશંસા
આગામી સમયમાં ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જેના માટે જાહેર કરાયેલી ટીમમાં એક નવો ઇતિહાસ રચાયો છે. માત્ર 15 વર્ષની નાની ઉંમર ધરાવતા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ભારતીય પુરુષ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ કોઈપણ ફોર્મેટમાં ભારતની રાષ્ટ્રીય ટીમમાં પસંદ થનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે આ યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, વૈભવ, તેં આ સ્થાન તારી અદભુત મહેનતના જોરે મેળવ્યું છે. હું તારી આ ક્રિકેટ સફરને આગળ વધતી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર: અફઘાનિસ્તાન સિરીઝ માટે ધાકડ ઓલરાઉન્ડર ફિટ! ‘હિટમેન’ પર સસ્પેન્સ યથાવત
શ્રેયસ ઐયરની કેપ્ટન બનવા સુધીની સફર
બીજી તરફ જો નવા કેપ્ટન શ્રેયસ ઐયરની વાત કરીએ તો, તેણે ભારત માટે પોતાની છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023 માં રમી હતી. તે સમયે શ્રેયસને ટી20 ક્રિકેટમાં બહુ મોટો હિટર માનવામાં આવતો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેણે પોતાની રમત આખી બદલી નાખી છે. વર્ષ 2024 માં તેણે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને પોતાની કેપ્ટનશીપ હેઠળ IPL નો ખિતાબ જીતાડ્યો હતો. ત્યારબાદ પંજાબ કિંગ્સમાં જોડાયા પછી અને ત્યાંના કેપ્ટન બન્યા પછી તેણે ક્રિકેટ જગતને પોતાની નવી આક્રમક બેટિંગ શૈલી બતાવી, જેના કારણે જ આજે તેને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.





