Home National Supreme Court Neet Protest Order Student Relief

વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે હવે નહીં થાય કડક કાર્યવાહી! : સગીરોને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Supreme Court NEET Protest Order
Image Credit: sci.gov.in/
Published by: Nirali Gohil
Last Updated: Jul 28, 2026, 08:57 AM IST

Supreme Court NEET Protest Order: NEET-UG 2026 પેપર લીક મુદ્દે દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પોલીસ કાર્યવાહીને લઈને દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે હાલ કોઈપણ પ્રકારની બળજબરીની કાર્યવાહી (coercive action) કરવામાં ન આવે. સાથે જ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા અને કસ્ટડીમાં રહેલા સગીર પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યા કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર બંધારણ દ્વારા સુરક્ષિત છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે જેમનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ છે અથવા જેમની સામે ગંભીર આરોપો છે, તેઓને આ વચગાળાની રાહત આપમેળે મળશે નહીં.

શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને રાહત, પરંતુ FIR નોંધવામાં રોક નહીં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ જરૂરિયાત મુજબ FIR નોંધાવી શકે છે, પરંતુ આગામી આદેશ સુધી શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કોઈ બળજબરીની કાર્યવાહી કરવામાં ન આવે. કોર્ટે આ મામલે તમામ રાજ્યોને જરૂરી સૂચનાઓ આપી છે.

સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ

કોર્ટના આદેશ મુજબ, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા અને હાલ કસ્ટડીમાં રહેલા તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. જોકે, જેમની સામે અગાઉથી ગુનાહિત કેસ નોંધાયેલા છે, તેમના મામલામાં આ રાહત લાગુ પડશે નહીં.

આ પણ વાંચો: આસામમાં આ શું થઈ રહ્યું છે? : વિનાશકારી પૂરમાં 600થી વધુ ગામો પાણીમાં ગરકાવ, 68ના મોત; 4.45 લાખ લોકો અસરગ્રસ્ત

પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ તરફ સંકેત

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી પોલીસ દ્વારા અતિરેક બળપ્રયોગના આક્ષેપો કરવામાં આવ્યા હતા. બીજી તરફ, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે કેટલાક અસામાજિક અને ગુનાહિત તત્વો પણ આંદોલનમાં ઘૂસી ગયા હતા અને પોલીસ પર હુમલામાં તેમની સંડોવણી હતી. કોર્ટે નોંધ્યું કે બંને પક્ષોના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.

તમામ CCTV અને ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય પોલીસને પ્રદર્શન સંબંધિત CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી-કેમેરા વિડિયો, વાયરલેસ સંદેશા અને અન્ય ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ પ્રદર્શનકારીઓનો વ્યક્તિગત અથવા બાયોમેટ્રિક ડેટા જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: '5-સ્ટાર નહીં, 3-સ્ટાર હોટેલમાં હતી ઉજવણી' : વાયરલ VIDEO પર કોકરોચ જનતા પાર્ટીની સ્પષ્ટતા, સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ

આગામી સુનાવણીમાં રાજ્યો પાસેથી જવાબ માંગશે કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત સંબંધિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણીમાં પોલીસ કાર્યવાહિ, પ્રદર્શન દરમિયાન થયેલી ઘટનાઓ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે. કોર્ટે સંકેત આપ્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન અને કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યાપક માર્ગદર્શિકા પર પણ વિચાર થઈ શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કોર્ટે તમામ રાજ્ય પોલીસને આંદોલન સંબંધિત CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ મેસેજ જેવા ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા અને પ્રદર્શનકારીઓનો વ્યક્તિગત કે બાયોમેટ્રિક ડેટા જાહેર ન કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

ના, જે વ્યક્તિઓનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ છે અથવા જેમની સામે ગંભીર આરોપો છે, તેઓને આ વચગાળાની રાહત આપમેળે મળશે નહીં.

અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા હોય અને હાલ કસ્ટડીમાં હોય તેવા તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે હાલ કોઈપણ પ્રકારની બળજબરીની કાર્યવાહી (coercive action) કરવામાં ન આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now