Sudan Civil War 2026: આફ્રિકી દેશ સુદાનમાં બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે વધુ ભયાનક તબક્કામાં પ્રવેશતું દેખાઈ રહ્યું છે. રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) દ્વારા ઉત્તર કોર્ડોફાન પ્રાંતની રાજધાની અલ-ઓબેદને ત્રણ તરફથી ઘેરી લેવામાં આવતા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા સહિતની વૈશ્વિક શક્તિઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક હસ્તક્ષેપ નહીં થાય તો અહીં અલ-ફાશરની જેમ મોટા પાયે નરસંહાર થઈ શકે છે. અહેવાલો મુજબ, RSF દળો ઉત્તર અને પશ્ચિમ દિશાથી સતત આગળ વધી રહ્યા છે. શહેરની આસપાસના વિસ્તારોમાં ડ્રોન હુમલાઓ પણ તેજ બન્યા છે, જેમાં પાંચ મહત્વપૂર્ણ ઓઇલ ટાંકીઓ નષ્ટ થઈ ગઈ હોવાનું કહેવાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી 72 કલાકમાં અલ-ઓબેદ પર મોટું સૈન્ય અભિયાન શરૂ થઈ શકે છે, જેના કારણે લાખો નાગરિકોના જીવન પર ગંભીર ખતરો ઊભો થયો છે.
અલ-ઓબેદ શા માટે મહત્વપૂર્ણ છે?
અલ-ઓબેદ સુદાનના મધ્ય ભાગમાં આવેલું વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું શહેર છે. આ શહેર પશ્ચિમ દારફુરને દેશના પૂર્વીય વિસ્તારો સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલું છે. ઉપરાંત, દેશની મહત્વપૂર્ણ તેલ પાઇપલાઇન પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો RSF આ શહેર પર કબજો જમાવવામાં સફળ થાય છે તો પશ્ચિમ સુદાનના મોટા ભાગ પર તેનું પ્રભુત્વ વધુ મજબૂત બની શકે છે. વિશ્લેષકોના મતે ખાર્તૂમ પછી RSF માટે આ સૌથી મોટી પ્રાદેશિક જીત સાબિત થઈ શકે છે. બીજી તરફ સુદાની સેનાએ હવાઈ હુમલાઓ દ્વારા જવાબી કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ RSFની ઘેરાબંધી સતત મજબૂત બનતી જઈ રહી છે.
હોર્મુઝમાં ફરી તણાવ: ટ્રમ્પનો આરોપ : ઇરાને 4 ડ્રોનથી વેપારી જહાજોને નિશાન બનાવ્યા, એક જહાજને ફટકો
અલ-ફાશરની ઘટના બાદ ફરી વધી ચિંતા
સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી માત્ર અનુમાન પર આધારિત નથી પરંતુ અલ-ફાશરમાં થયેલી હિંસક ઘટનાઓના અનુભવ પરથી આપવામાં આવી રહી છે. ઓક્ટોબર 2025માં RSFએ અલ-ફાશર પર કબજો કર્યો હતો. બાદમાં સંયુક્ત રાષ્ટ્રની તપાસમાં ત્યાં થયેલી હત્યાઓ, સામૂહિક બળાત્કારો અને લોકોના બળજબરીપૂર્વક ગાયબ થવાના બનાવો સામે આવ્યા હતા. તપાસ રિપોર્ટમાં જાગાવા અને ફુર સમુદાયો સામે નિશાન સાધીને કરવામાં આવેલા હુમલાઓને નરસંહારના લક્ષણો ધરાવતા ગણાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, RSFએ 18 મહિના સુધીની ઘેરાબંધી દરમિયાન જાણબૂઝીને એવી પરિસ્થિતિઓ ઊભી કરી હતી જેના કારણે સ્થાનિક સમુદાયોના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું હતું. હવે અલ-ઓબેદમાં પણ એ જ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી હોવાનું સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું માનવું છે.
બે વર્ષથી સળગી રહ્યું છે સુદાન
સુદાનમાં ગૃહયુદ્ધ એપ્રિલ 2023માં સુદાની સેનાઓ (SAF) અને રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે સત્તા સંઘર્ષના કારણે શરૂ થયું હતું. RSF અગાઉ દારફુર ક્ષેત્રમાં કાર્યરત જનજાવીડ નામની અર્ધલશ્કરી મિલિશિયા તરીકે ઓળખાતું હતું. બંને પક્ષોને વિદેશી સમર્થન મળતું હોવાના દાવાઓ વચ્ચે આ યુદ્ધે સમગ્ર દેશને તબાહ કરી નાખ્યો છે. લાખો લોકોના મોત થયા છે, જ્યારે 1.4 કરોડથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. આ સંઘર્ષને હાલ વિશ્વનું સૌથી મોટું માનવીય સંકટ માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ 2026માં પણ લગભગ 3.3 કરોડ લોકોને તાત્કાલિક માનવીય સહાયની જરૂર પડશે. દેશમાં ભૂખમરો, રોગચાળો અને યૌન હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે.
ભારત-અમેરિકા સંબંધોને મળશે નવી ઊંચાઈ? : ટ્રમ્પના ભારત પ્રવાસ અને ટ્રેડ ડીલ પર રૂબિયોનું મોટું નિવેદન
સંકટ માનવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ 2026માં પણ લગભગ 3.3 કરોડ લોકોને તાત્કાલિક માનવીય સહાયની જરૂર પડશે. દેશમાં ભૂખમરો, રોગચાળો અને યૌન હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની વધતી ચિંતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અમેરિકા બંનેએ RSFને અલ-ઓબેદ પર હુમલો અટકાવવાની અપીલ કરી છે. જોકે અત્યાર સુધી કોઈ મોટા આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપના સંકેત મળ્યા નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો અલ-ઓબેદમાં પણ અલ-ફાશર જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેને અટકાવવી અત્યંત મુશ્કેલ બની જશે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક શાંતિ વાટાઘાટો શરૂ કરાવવી, માનવીય સહાય પહોંચાડવી અને યુદ્ધ અપરાધો માટે જવાબદારો સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
દુનિયાનું સૌથી મોટું વિસ્થાપન સંકટ
સુદાન આજે વિશ્વના સૌથી મોટા વિસ્થાપન સંકટનો સામનો કરી રહ્યું છે. લાખો શરણાર્થીઓ પડોશી દેશોમાં આશરો લેવા મજબૂર બન્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા વધી રહી છે. વિશ્વના અન્ય સંઘર્ષોની સરખામણીએ સુદાનની સ્થિતિને ખૂબ ઓછી આંતરરાષ્ટ્રીય ચર્ચા મળી રહી છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો અલ-ઓબેદ આગામી નરસંહારનું કેન્દ્ર બની શકે છે. સુદાનના સામાન્ય લોકો શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, પરંતુ સત્તા માટેની લડાઈએ દેશને વિનાશના કિનારે પહોંચાડી દીધો છે. હવે સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સમયસર હસ્તક્ષેપ કરીને વધુ એક માનવીય દુર્ઘટના અટકાવી શકાશે?





