Home Gujarat Startup Mahasangam Atmiya University Startup India Gujarat

આત્મીય યુનિ.માં “સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમ-2025' નું ભવ્ય આયોજન : સજર્ન અને આર્થિક વિકાસના લક્ષ્ય સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટેની સૌથી મોટી ઇવેંટ

આત્મીય યુનિ.માં “સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમ-2025' નું ભવ્ય આયોજન
Published by: Offbeat Team
| Last Updated: Dec 17, 2025, 11:55 AM IST

Startup Mahasangam: વિકસિત ભારત-2047 ને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત “સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ને સમગ્ર દેશમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. સેંકડો સ્ટાર્ટઅપ્સ દ્વારા લાખો રોજગારીનું સર્જન થયું છે. આ સ્ટાર્ટ અપ્સ પોતાની પાંખો વિસ્તરી શકે, એકબીજાના પુરક બનીને વિકાસ સાધી શકે, વધારે મૂડી રોકાણ મેળવી શકે, ટેકનોલોજીકલ સુધારા અંગે માર્ગદર્શન મેળવી શકે, માર્કેટિંગ માટે માર્ગદર્શન મેળવી શકે તેવા ઉદ્દાત આશયથી આત્મીય યુનિવર્સિટી દ્વારા “સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 17 ડિસેમ્બરથી 21 ડીસેમ્બર 2025 સુધી ચાલનાર આ મહાસંગમનો શુભારંભ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉદબોધનમાં ટીલાળાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ રાખીને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને તેને આનુસંગિક યોજનાઓ અમલમાં મૂકી તેનાં સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યાં છે. સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો આટલી મોટી સંખ્યામાં ગુજરાતના આંગણે એકત્ર થયા છે તે બહુ મોટી વાત છે. આત્મીય યુનિવર્સિટી અને આત્મીય ઈનોવેશન ફાઉન્ડેશન તેમજ આ વિરાટ કાર્ય માટે જે જે સરકારી, સહકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને એસોસિએશનોએ સહયોગ આપ્યો છે તે તમામ અભિનંદનનાં અધિકારી છે.

ટીલાળાએ ઉમેર્યું હતું કે, દેશ અમૃતકાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક પ્રગતિના દ્વાર ખોલવા તત્પર ઉદ્યોગ સાહસિકોને જોઇને બહુ નજીકના સમયમાં આપણે વિકસિત ભારતનાં દર્શન કરી શકીશું તેવી લાગણી અનુભવાય છે.

આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, દેશનાં નેતૃત્વએ યુવાનોની શક્તિમાં મુકેલો વિશ્વાસ સાર્થક થતો જોવા મળે છે. ગુજરાતમાં આટલા વિશાળ પાયે સ્ટાર્ટઅપ ફોરરનર અને મહાસંગમનું આયોજન ગુજરાતની તાસીરને અભિવ્યક્ત કરે છે. આ પાંચ દિવસીય આયોજનમાં દરેક સ્ટાર્ટઅપ્સને પોતાને લાભ થયો છે તેવી પ્રતીતિ થાય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. દેશના યુવાનો રોજગારી મેળવનારની સાથોસાથ રોજગારી આપનારા બને તે માટે આ આયોજન મહત્વનું બની રહેશે. ઇન્વેસ્ટર્સ, કોલાબરેટર્સ, ઇનોવેટર્સ, ઇન્ફલ્યુએન્સર્સ વગેરેને પરસ્પર નજીક આવવાની તક સાંપડશે.

ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, આ આયોજનની મહત્વની બાબત એ છે કે, અત્રે ભાગ લેનાર સ્ટાર્ટઅપ્સ સાથે આવનારાં દોઢ વર્ષ સુધી સતત ફોલોઅપ કરીને તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે, કોઈ અડચણ અનુભવતા હોય તો તે દુર થઇ શકે, સરકારી વિભાગોમાં ક્યાંય રજૂઆત કરવાની થતી હોય તો તે માટે માર્ગદર્શન મળી રહે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના માસ્ટર ટ્રેનર્સ ઉપરાંત સંભવિત ઇન્વેસ્ટર્સ અને કોલાબરેટર્સ સાથે પેચઅપ કરવા આગામી દોઢ વર્ષ સુધી સાપ્તાહિક મેન્ટરીંગ સેશન્સના આયોજન કરવામાં આવનાર છે. ભારતમાતાને પરમવૈભવના શિખરે બિરાજમાન કરવાની આકાંક્ષાને ફળીભૂત કરવામાં આ આયોજન મહત્વનું યોગદાન સાબિત થશે.

આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશ મુદગલે આયોજનની સફળતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે પ્રથમવાર આ પ્રકારનું વિશાળપાયે આયોજન કર્યું છે. પણ, દરેક ક્ષેત્રોમાંથી ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડ્યો છે. 450 થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા આગોતરું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 100 થી વધુ રોકાણકારો ભાગ લઇ રહ્યા છે. તા. 21 ડિસેમ્બરે આયોજિત સ્ટાર્ટઅપ મહાસંગમમાં તો ત્રણ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ ડેલીગેટ્સ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને સફળ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. આ સમગ્ર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત—2047 માટે અમૃતકાળમાં કરવા ધારેલ કર્મયજ્ઞોમાં મહત્વની આહુતિ બની રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી નવું કરી બતાવવાની ક્ષમતા ધરાવતા યુવાનોને માટે તકોનું સર્જન થાય, તેમને યોગ્ય વાતાવરણ મળે, ફંડિંગ મળે, જરૂરી માર્ગદર્શન મળે તે માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ની યોજના કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ આ બાબતે નોડલ એજન્સીનું કાર્ય કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મતે માઈક્રો, સ્મોલ અને મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે, એમ.એસ.એમ.ઈ. સેક્ટરને મજબુત બનાવીને દેશના આર્થીક વિકાસને ગતિ આપવામાં સ્ટાર્ટઅપ્સ મહત્વનું યોગદાન આપી શકવાની ક્ષમતા ધરાવે છે. તે સંજોગોમાં આત્મીય યુનિવર્સિટી ખાતે થયેલું આ આયોજન દેશના વિકાસ માટે મહત્વની કડી સાબિત થશે. ઉદઘાટન સમારોહમાં ગુજરાતનાં આગવાં સ્ટાર્ટઅપ મીટ્ટીકુલના સ્થાપક મનસુખ પ્રજાપતિ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની સફળતાની ગાથા વર્ણવી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર