સ્વાસ્થ્ય ખરાબ હોવા છતાં ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય
પર્યાવરણ કાર્યકર અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકે સ્વાસ્થ્ય અંગે વધતી ચિંતા છતાં પોતાનો અનિશ્ચિત મુદતનો ઉપવાસ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે. તેમનો ઉપવાસ હવે 19મા દિવસે પહોંચ્યો છે. તેમણે કહ્યું કે તેમની તબિયત સારી નથી, પરંતુ હાલ એવી ગંભીર સ્થિતિ નથી કે તેઓ પોતાનો આંદોલન સમાપ્ત કરે.
સરકાર સાથે સંવાદની અપીલ, આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ
વાંગચુક પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને કથિત ગેરરીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે ઉપવાસ પર બેઠા છે. તેમણે કહ્યું કે જો તેઓ હવે ઉપવાસ તોડી દે, તો તેમના આંદોલનનો સંદેશ નબળો પડી જશે. તેમણે સરકારને લોકોની વાત સાંભળવા અને સંવાદ શરૂ કરવાની અપીલ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર ખાસ વીડિયો પણ શેર કર્યો જોઓ અહી
તબીબોની ચેતવણી, લાંબા ઉપવાસથી સ્વાસ્થ્ય પર અસર
ડૉક્ટરો સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. લાંબા સમયથી ખોરાક ન લેવાથી વજનમાં ઘટાડો થયો છે અને શરીર પર તેની અસર દેખાઈ રહી છે. તબીબોએ ચેતવણી આપી છે કે ઉપવાસ વધુ લાંબો ચાલે તો અંગોને નુકસાન થવાનો ખતરો વધી શકે છે.





