Home Sports Shubman Gill True Test Will Be In The India Vs Australia Odi Series

ઓસ્ટ્રેલિયાની સીરિઝમાં થશે કેપ્ટન શુભમન ગિલની 'અગ્નિ પરીક્ષા' : જાણો ઇંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ કરતા કેવી રીતે અલગ છે

ઓસ્ટ્રેલિયાની સીરિઝમાં થશે કેપ્ટન શુભમન ગિલની 'અગ્નિ પરીક્ષા'
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 10:40 AM IST

India vs Australia ODI Series: 19 ઓક્ટોબરથી શરૂ થનાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ શુભમન ગિલ માટે ખાસ રહેશે. કારણ કે, જે બે સીનિયર ખેલાડીઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા) ના માર્ગદર્શન હેઠળ તે રમ્યો હતો, હવે તે બે સિનિયર ખેલાડીઓ તેની કેપ્ટનસી હેઠળ રમશે. આ સાથે, શુભમન ગિલની ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સીરિઝમાં ગિલની પરીક્ષા થશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની સામે ગિલ કેવું પ્રદર્શન કરશે?

રોહિત શર્મા ODI માં કેપ્ટન તરીકે એક મહત્વપૂર્ણ વારસો છોડી રહ્યો છે. શુભમન ગિલ રોહિત શર્માના પગલે કેવી રીતે ચાલે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. 56 વનડેમાંથી, રોહિત શર્માએ 42 જીત મેળવી છે અને 12 હારનો સામનો કર્યો છે. એક મેચ ડ્રો અને એક ટાઇમાં સમાપ્ત થઈ હતી. રોહિત શર્મા વ્હાઇટ-બોલ ક્રિકેટમાં, ખાસ કરીને ODI ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક રહ્યો છે, કારણ કે તેના કાર્યકાળ દરમિયાન ટીમની જીતની ટકાવારી 75 રહી છે. આવી સ્થિતિમાં, શુભમન ગિલને રોહિત શર્મા કરતા વધુ સમય સુધી પોતાની કેપ્ટનશીપ કરવાની રહેશે. ગિલના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 95 વનડેમાંથી 65 મેચ જીતી, એક ટાઈ અને બે ડ્રો. આનો અર્થ એ થયો કે, ભારતીય ક્રિકેટમાં મજબૂત SWAG ધરાવતા બે કેપ્ટનો સામે શુભમન ગિલ કેવી રીતે પ્રગતિ કરશે તે આ પ્રવાસનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન હશે.

કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડ સીરિઝમાં પ્રદર્શન

કેપ્ટન તરીકે શુભમન ગિલની પહેલી ટેસ્ટ સીરિઝ ઇંગ્લેન્ડમાં હતી, જ્યાં તે કોહલી, રોહિત અને અશ્વિન વિના ટેસ્ટ સીરિઝ રમવા ગયો હતો. યંગ ભારતીય ટીમે રોમાંચક રીતે આ સીરિઝને 2-2 થી ડ્રો કરી હતી. આ સીરિઝમાં શુભમન ગિલનું ફોર્મ શાનદાર હતું. કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડમાં ભારતની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 5 મેચમાં 75.40 ની એવરેજથી 754 રન બનાવ્યા અને 4 સેંચુરીનો સમાવેશ હતો.

શુભમન ગિલનું વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં પ્રદર્શન

ત્યારપછી, વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ હતી. ક્રિકેટના નિષ્ણાતો પહેલાથી જ આગાહી કરી હતી કે, ભારતીય ટીમ આ સીરિઝ જીતશે. બરાબર એવું જ થયું. ભારતે વેસ્ટ ઇન્ડીઝને 2-0 થી હરાવ્યું. આ કેપ્ટન શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સીરિઝમાં જીત હતી. શુભમન ગિલે આ સીરિઝમાં બે મેચોમાં ત્રણ ઇનિંગ્સમાં 192 રન બનાવ્યા, જેમાં 129* ની શાનદાર નોટઆઉટ ઇનિંગ્સનો સમાવેશ થાય છે. આ સીરિઝમાં શુભમન ગિલની એવરેજ 96.00 હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 61.73 હતો.

કેપ્ટન શુભમન ગિલની ખરી કસોટી ઓસ્ટ્રેલિયામાં થશે

ભારતના નવા ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલની સાચી પરીક્ષા ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શરૂ થશે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની હાલની સીરિઝમાં કેપ્ટન તરીકે મજબૂત છાપ છોડી હતી, પરંતુ હવે તે એવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે જે વધુ પડકારજનક છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરેક રીતે અનોખો છે. ગેમના પોઈન્ટ-ઓફ-વ્યૂથી, ઓસ્ટ્રેલિયાની પિચો ઝડપી અને ઉછાળવાળી છે, અને ઘરઆંગણાની ટીમ દરેક પાસામાં ફેવરિટ રહેશે. આ જ કારણ છે કે, આ પ્રવાસ શુભમન ગિલ માટે એક અનોખી અને મુશ્કેલ કસોટી માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે, આ પ્રવાસ ફક્ત તેના વ્યક્તિગત પ્રદર્શનની જ નહીં પરંતુ ભારતીય ટીમની ફ્યુચર રણનીતિની પણ કસોટી થશે.

શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે શું કહ્યું?

ખાસ વાત એ છે કે, આ પ્રવાસ પર શુભમન ગિલની કેપ્ટનસી હેઠળ બે સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે, કેપ્ટન તરીકે શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે શું યોજના બનાવી છે. જોકે, શુભમન ગિલે આશા વ્યક્ત કરી છે કે, આ બંને ઓસ્ટ્રેલિયામાં પોતાનો જાદુ ફેલાવશે. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા જતા પહેલા કહ્યું હતું કે, બંને એવા ખેલાડીઓ છે જેમણે ભૂતકાળમાં ભારત માટે ઘણી મેચ જીતી છે. તેઓ છેલ્લા 10-15 વર્ષથી ભારત માટે રમી રહ્યા છે, અને તેઓ જે અનુભવ લાવે છે તે દરેક કેપ્ટન અને દરેક ટીમ માટે અમૂલ્ય છે. આશા છે કે તેમનો જાદુ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે.

કોચ, કેપ્ટન, અને વિરાટ-રોહિત વચ્ચે સંકલન

ગિલના મતે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, બંને ખેલાડીઓ ODI સેટઅપનો મહત્વપૂર્ણ ભાગ રહેશે અને ટીમને તેમના અનુભવની સખત જરૂર છે. હેડ કોચ ગૌતમ ગંભીરે જોકે સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના વર્લ્ડ કપમાં રમશે કે નહીં, પરંતુ તેમણે એમ કહ્યું હતું કે, બંને ઉત્તમ ખેલાડીઓ છે, પરંતુ ટીમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ કેપ્ટન શુભમન ગિલ માટે ODI માં "ખરી કસોટી" પણ હશે. બધા પર નજર રહેશે કે, તે કોચ ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે કેવી રીતે સંકલન કરે છે. ચાહકો શુભમન ગિલની સિનિયર ખેલાડીઓ પ્રત્યે આદર જાળવવા અને તેમને ટીમમાં સમાવિષ્ટ કરવાની ક્ષમતા પર પણ નજર રાખશે. આ બધા પરિબળો, એક રીતે, 2027 વર્લ્ડ કપ માટે તેનું ભવિષ્ય નક્કી કરશે. તેથી, ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ ગિલ માટે એક કસોટી હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now