Shahid Afridi on IND vs PAK : 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર ઘણા મોટા ખેલાડીઓએ રિએક્શન આપી રહ્યા છે. પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. શાહિદ આફ્રિદીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. વધુમાં, શાહિદ આફ્રિદીએ ક્રિકેટમાં રાજકારણના પ્રવેશના મહત્વ પર પણ ભાર મૂક્યો. જાણો શાહિદ આફ્રિદીએ શું કહ્યું.
ICC સામે સવાલ ઉઠાવ્યા, પણ સરકારને સપોર્ટ કર્યો
શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "હું હંમેશા માનતો આવ્યો છું કે, જ્યારે રાજકારણ તેમને બંધ કરી દે છે ત્યારે ક્રિકેટ દરવાજા ખોલી શકે છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે નહીં રમે તે દુઃખદ છે, પરંતુ હું મારી સરકારના નિર્ણયનું સન્માન કરું છું." ICC પર વધુ સવાલ ઉઠાવતા શાહિદ આફ્રિદીએ લખ્યું, "ICC માટે નેતૃત્વ બતાવવાનો સમય આવી ગયો છે, ફક્ત નિવેદનો આપીને નહીં, પરંતુ દરેક સભ્ય માટે ન્યાયી, સ્વતંત્ર અને સમાન નિર્ણયો લઈને."
શાહિદ આફ્રિદીનું નિવેદન
શાહિદ આફ્રિદીનું નિવેદન અસ્પષ્ટ છે. એક તરફ, તેમણે ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ નહીં થાય તે અંગે નિરાશા વ્યક્ત કરી. બીજી તરફ, શાહિદ આફ્રિદીએ તેમની સરકારના નિર્ણયને સપોર્ટ આપ્યો.
પાકિસ્તાન સરકારે આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે (1 ફેબ્રુઆરી) પાકિસ્તાન સરકારે X (પહેલા ટ્વિટર) પર એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, તેમની ટીમ T20 વર્લ્ડ કપમાં રમશે, પરંતુ ભારત સામેની મેચમાં ભાગ લેશે નહીં. નોંધનીય છે કે, ICC શેડ્યૂલ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજ મુકાબલો 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં યોજાવાનો હતો. આગામી T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેનું સહ-યજમાન ભારત અને શ્રીલંકા હશે.




















