Shani Margi 2025: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળ દાતા અને ન્યાયનો દેવતા માનવામાં આવે છે. 30 વર્ષ પછી શનિ મીન રાશિમાં સીધી ચાલ શરૂ કરવા જઈ રહ્યો છે. આ વકરીથી માર્ગી થવાની ઘટના 28 નવેમ્બર 2025ના રોજ સવારે 9:20 વાગ્યે બનશે, જેની સીધી અસર કર્ક, મકર અને મીન રાશિના જાતકો પર પડશે. અટકેલાં કામ પૂરાં થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે અને જીવનમાં સ્થિરતા આવશે.
કર્ક રાશિ – અવરોધો દૂર, ભાગ્યનો પૂર્ણ સાથ
છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતા અવરોધો, માનસિક તણાવ અને ધૈય્યાની અસર હવે ઓછી થશે.
નવમ ભાવમાં શનિ માર્ગી થતાં ભાગ્યનો ટેકો મળશે.
રિયલ એસ્ટેટ, બાંધકામ, ઓટોમોબાઈલ, પર્યટન, વીમા અને માર્કેટિંગના ક્ષેત્રે મોટી સફળતા.
7 ડિસેમ્બર સુધી મંગળની અનુકૂળ સ્થિતિથી આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધારો.
નાણાકીય સ્થિરતા અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ.
મકર રાશિ – ઉર્જા અને તકોનો પ્રવાહ
શનિ ત્રીજા ભાવમાં માર્ગી થતાં ઉત્સાહ, હિંમત અને પરાક્રમમાં વૃદ્ધિ.
લાંબા સમયથી અટકેલાં કામ પૂરાં થશે, જૂના અવરોધો દૂર.
વિદેશ પ્રવાસ, વિદેશી પ્રોજેક્ટ્સ કે ઓફરની પ્રબળ શક્યતા.
ભાઈ-બહેનો સાથે સંબંધો સુધરશે, ઘરનું વાતાવરણ સુખદ.
પેટની તકલીફોમાં રાહત, વેપાર-ધંધામાં નફો અને વિસ્તારનો યોગ.
મીન રાશિ – સાડેસાતીના પ્રથમ તબક્કામાં મોટી રાહત
લગ્ન ભાવમાં શનિ માર્ગી થતાં અટકેલા પ્રોજેક્ટ્સ ફરી ગતિ પકડશે.
નોકરી બદલવાની ઈચ્છા પૂરી થઈ શકે, નવી જગ્યાએથી ઓફર આવી શકે.
સરકારી કામકાજ અને મોટા પ્રોજેક્ટ્સમાં પ્રગતિ.
અટકેલું નાણું પાછું મળશે, ખર્ચ ઘટશે, આવક વધશે.
માનસિક થાક, આળસ અને અસંતોષ દૂર થશે, આત્મવિશ્વાસ પરત આવશે.
28 નવેમ્બર 2025 પછી આ ત્રણ રાશિના જાતકો માટે શનિની કૃપા સ્પષ્ટ દેખાશે. જેમણે સખત મહેનત કરી છે તેમને હવે તેનું પૂર્ણ ફળ મળવાનું શરૂ થશે!


















