logo-img
When Is Ram Sita Vivah Panchami Know The Exact Date

ક્યારે છે વિવાહ પંચમી? : રામ-સીતાની પૂજાનો છે વિશેષ મહિમા, જાણો સાચી તારીખ, મહત્વ અને પૂજા વિધિ

ક્યારે છે વિવાહ પંચમી?
Published by: Offbeat Team
| Last Updated: Nov 19, 2025, 06:27 AM IST

Vivah Panchami 2025 Date: હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહની યાદમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ભગવાન રામે માતા સીતા સાથે પાણિગ્રહણ સંસ્કાર કર્યા હતા, તેથી આ તિથિને વિવાહ પંચમી કહેવામાં આવે છે.

વિવાહ પંચમી ક્યારે છે?

પંચમી તિથિ શરૂ: 24 નવેમ્બર 2025, સોમવાર રાત્રે 9:22 કલાકથી

પંચમી તિથિ સમાપ્ત: 25 નવેમ્બર 2025, મંગળવાર રાત્રે 10:56 કલાક સુધી

ઉદય તિથિ અનુસાર વિવાહ પંચમી વ્રત-પૂજાનો મુહૂર્ત 25 નવેમ્બર 2025, મંગળવારના રોજ રહેશે.

વિવાહ પંચમી પૂજા વિધિ (સરળ પદ્ધતિ)

1. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ (પીળા કે લાલ) વસ્ત્ર પહેરો.

2. ઘરના પૂજાસ્થાને લાકડાનો પાટલો કે ચબુતરો મૂકી તેના પર પીળું કપડું પાથરો.

3. શ્રી રામ-સીતાજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.

4. સૌથી પહેલાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરી પૂજન કરો.

5. રામ-સીતાજીને પીળા-લાલ ફૂલોની માળા, ચંદન, અક્ષત, કુંકુમ વગેરે અર્પણ કરો.

6. ધૂપ-દીપ પ્રગટાવો.

7. “ઓમ રામાય નમઃ”, “જય સીયા રામ”, “શ્રી રામ જય રામ જય જય રામ” મંત્રનો જાપ કરો.

8. રામ-સીતાજીને ફળ, મીઠાઈ, ખીર, પંચામૃત વગેરેનો ભોગ ધરાવો.

9. રામાયણનો પાઠ કે રામ-સ્તુતિ, રામ-રક્ષા સ્તોત્ર વાંચો.

10. શ્રી રામ-સીતાજીની આરતી ઉતારો.

11. પ્રસાદ વહેંચીને પોતે પણ ગ્રહણ કરો. ઘણા ભક્ત આ દિવસે નિર્જળ કે ફળાહાર ઉપવાસ પણ રાખે છે.

વિવાહ પંચમીનું મહત્વ

દાંપત્ય જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમ વધે છે.

લગ્નમાં વિલંબ કે અવરોધ હોય તો દૂર થાય છે એવી માન્યતા છે.

રામ-સીતાની જેમ આદર્શ પતિ-પત્નીના સંબંધનું પ્રતીક માનવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now