કુંભની જેમ ગુજરાતમાં પણ મહાભારત કાળથી એક મેળો ભરાય છે. તેનું નામ ખબર છે? કહેવાય છે કે ભીષ્મ પિતામહના બે પિતરાઈ ભાઈઓ - ચિત્રાંગદ અને વિચિત્રવિર્યને. અહીંના પવિત્ર પાણીથી સ્વાસ્થ્ય અને દિર્ઘઆયુનું વરદાન મળ્યું હતું. અને ત્યારથી જ, સાબરકાંઠા જિલ્લાના ગુણભાંખરી ગામમાં, દર વર્ષે ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો, સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના ત્રિવેણી સંગમ પર આવી, પોતાના મૃત્યુ પામેલાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપે છે. અને સાથે સાથે તે પોતાના સંતાનોના લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ પણ કરે છે. ગુજરાતના આ ઓફબીટ મેળાનું નામ છે - ચિત્ર વિચિત્રનો મેળો! તમે કદી ગયા છો આ ગુજરાતના કુંભ મેળામાં? કમેન્ટ કરીને કહો. અને આ ચિત્ર-વિચિત્ર ઓફબીટ સ્ટોરીને હમણાં જ શેર કરો!





















