બુધવારે સવારે એક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ઘરમાં 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. ઘટનામાં મકાનમાં સૂઇ રહેલા અન્ય 3 સભ્યો ધુમાળાને કારણે બેભાન થઇ ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી પરોઢે બનેલી આગની ઘટનામાં 81 વર્ષના નિવૃત DSP અવતાર કૃષ્ણ પુત્ર સહિત પરિવારના 6 લોકોનાં કરુણ મોત નીપજ્યા. સમગ્ર ઘટનાને લઇ પોલીસે તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી.
#WATCH | Kathua, J&K | Six died and four injured as a fire broke out at a house in Shiva Nagar.
— ANI (@ANI) December 18, 2024
Kathua GMC Principal, SK Atri says, "A fire broke out in a rented house of a retired assistant matron. Out of 10 people, 6 were brought dead and 4 of them were injured... Prima… pic.twitter.com/hUGiBzVDF5
ષડયંત્ર કે સંયોગ?
આગની ઘટનામાં બેહોશ થનાર 3 લોકોને કઠુઆના GMC વિસ્તારમાં સારવાર અપાઇ રહી છે. જો કે નિવૃત્ત DSP અવતાર કૃષ્ણ પુત્રના ધરે લાગેલી આગની ઘટનામા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં પોલીસે વહેલી સવારે અચાનક કેવી રીતે આગ લાગી તેની તપાસમાં લાગેલી છે. તેવામાં આગ લગાવવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નિવૃત પોલીસ અધિકારીના ઘરે આગ જાણીજોઇને લગાવાઇ હોવાની આશંકા પોલીસે આસપાસના લોકોના નિવેદનો લીધા બાદ વ્યક્ત કરી. વહેલી પરોઢે આટલી મોટી આગ અચાનક કેમ લાગી તે જ તપાસનો વિષય છે તેવું સ્થાનિકોએ નિવેદન આપતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.






