Rajkot News: પવિત્ર અષાઢી બીજના તહેવારને લઈને રંગીલું રાજકોટ ભક્તિમય માહોલમાં રંગાવા તૈયાર છે. આ વર્ષે અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ શહેરમાં નાની-મોટી કુલ 8 જેટલી શોભાયાત્રાઓ નીકળવાની છે. આ ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજકોટ શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
શાંતિ સમિતિની બેઠક અને સોશિયલ મીડિયા પર વોચ
શોભાયાત્રાના રૂટ અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે રાજકોટ પોલીસ દ્વારા અગાઉથી જ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોઈ અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને પણ સક્રિય કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર સતત નજર રાખશે.
લોખંડી પોલીસ બંદોબસ્તની વિગતો
કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે વિશાળ સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે..
'હવે કોઈ વાતનો ડર નથી, બે વર્ષથી વીડિયો બનાવી રહી છું' : રાજકોટના 'વાયરલ દાદી' ફરી ચર્ચામાં
ઉચ્ચ અધિકારીઓ: 4 DCP અને 6 ACP
પોલીસ સ્ટાફ: 23 PI, 91 PSI અને 900થી વધુ પોલીસ કર્મીઓ
વધારાનું બળ: હોમગાર્ડ, SRP અને TRBના 1800થી વધુ જવાનો
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ તમામ શહેરીજનોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી છે.





