Home International Rahul Gandhi Targets Central Government From Colombia

"ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે..." : રાહુલ ગાંધીએ કોલંબિયાથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું!

"ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે..."
Published by: OBS Bureau
Last Updated: Oct 02, 2025, 11:34 AM IST

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલંબિયામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને આ દેશ માટે સૌથી મોટો ખતરો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં લોકશાહી વ્યવસ્થા પર હાલમાં ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે. આ નિવેદનથી ભાજપ ગુસ્સે થયો છે, જેમણે તેમના પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


''સૌથી મોટો ખતરો લોકશાહી પર હુમલો છે"

અગાઉ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ભારતમાં ઘણા ધર્મો, પરંપરાઓ અને ભાષાઓ છે. લોકશાહી વ્યવસ્થા બધા માટે જગ્યા પૂરી પાડે છે. પરંતુ હાલમાં, લોકશાહી વ્યવસ્થા ચારે બાજુથી હુમલો થઈ રહી છે." રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, "ભારત પાસે વિશ્વને આપવા માટે ઘણું બધું છે અને તે ખૂબ જ આશાવાદી છે, પરંતુ તે જ સમયે કેટલીક ખામીઓ અને જોખમો છે જેને ભારતે દૂર કરવા જોઈએ. સૌથી મોટો ખતરો લોકશાહી પર હુમલો છે."

રાહુલ ગાંધીએ RSS પર કર્યા ગંભીર આરોપ

તેમણે RSS ની પણ ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપની સાથે RSS ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ''રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની વિચારધારાના મૂળમાં "કાયરતા" છે. 2023માં ચીન વિશે વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે RSS ની વિચારધારા "નબળા લોકોને મારવાની" અને જેઓ મજબૂત છે તેમનાથી દૂર ભાગવાની છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર