Home National Rahul Gandhi Paper Leak 152 Claims Student Protest Delhi

'વિદ્યાર્થીઓ આતંકવાદી નથી, 10 વર્ષમાં 152 પેપર લીક' : રાહુલ ગાંધીએ કેન્દ્ર સામે રાખી આ 3 માંગણીઓ...!

Rahul Gandhi News
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2026, 12:00 PM IST

Rahul Gandhi News: 21 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને પીએમ આવાસ પાસે ધરણા કર્યા હતા. તેના બીજા દિવસે એટલે કે બુધવારે (22 જુલાઈ) રાહુલ ગાંધીએ દિલ્હીના ઈન્દિરા ભવન ખાતે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સુરક્ષા દળો દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં 152 પેપર લીક થયા છે.

વાસ્તવમાં, રાહુલ ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે ભારતની શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે અને સુધારા માટે સરકાર કોઈ પગલાં ભરી રહી નથી. આ પહેલાં મંગળવારે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પીએમ આવાસ પાસે ધરણા કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

"મારા મોંઢા માંથી લોહી નીકળી રહ્યું હતું, મને ટીંગાટોળી કરી લઈ જવાયો" : રાહુલ ગાંધીએ કહ્યું; "મારી સાથે 10 વાર આવું કરશો તો પણ વાંધો નથી, પણ વિદ્યાર્થીઓ પર દમન સહન નહીં કરું"

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર નિશાનો

રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર લાઠીચાર્જના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે, "સવાલ એ છે કે આપણા વિદ્યાર્થીઓ સાથે આવું કેમ થઈ રહ્યું છે? આખરે આપણા વિદ્યાર્થીઓએ શું કર્યું છે? સુરક્ષા દળો તેમના પર હથિયાર તાકીને ઊભા છે. તેમણે શું ખોટું કર્યું છે? તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે અને તેઓ એ જ માંગી રહ્યા છે જે આ દેશ તેમને આપવા માટે હકદાર છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "તેઓ બસ એટલું જ કહી રહ્યા છે કે દેશના વિદ્યાર્થી હોવાના નાતે, અમે એક એવી શિક્ષણ પ્રણાલીના હકદાર છીએ જે ન્યાયી હોય. બાળકોએ આત્મહત્યા સુધી કરી લીધી છે. આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ તણાવમાંથી પસાર થાય છે અને અંતે તેમને ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે."

રાહુલ ગાંધીએ રાખી ત્રણ માંગણીઓ...

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે ત્રણ માંગણીઓ મૂકી છે:

1. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને તેમને પદ પરથી હટાવવામાં આવે.

2. જે લોકોએ આપણા વિદ્યાર્થીઓ પર આંગળી ચીંધી છે, તે તમામની જવાબદારી નક્કી કરવામાં આવે.

3. જે વ્યક્તિ આ આખી સિસ્ટમ ચલાવી રહી છે, તેનામાં એટલી શાલીનતા હોવી જોઈએ કે જે કંઈ પણ થયું છે તેના માટે તે વિદ્યાર્થીઓની માફી માંગે.

'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, PM મોદી વિદ્યાર્થીઓની માફી માગે' : NEET મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સીધો પ્રહાર

દેશનું એજ્યુકેશન સિસ્ટમ ખોરવાયું: રાહુલ ગાંધી

એક વાત જે સૌ કોઈ સ્પષ્ટપણે જાણે છે તે એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા, જેને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાઓમાંથી એક માનવામાં આવતી હતી, તે આજે ધાંધલીવાળી સિસ્ટમ બની ગઈ છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા દાયકામાં 152 વખત પેપર લીક થયા છે. જો તમે ગણતરી કરો તો લગભગ દર મહિને એક પેપર લીક થયું છે. દર મહિને લાખો વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેઓ જે તણાવમાંથી પસાર થયા છે, તેમાંથી તેમણે ફરીથી પસાર થવું પડશે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વિવિધ પેપર લીકના કારણે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. આ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો છે. તેઓ પોતાની મહેનતની કમાણી આમાં લગાવે છે અને પછી તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે કોઈને પણ સજા થઈ નથી. છેલ્લા 10 વર્ષમાં 152 વખત પેપર લીક થયા અને સજા કોઈને ન મળી. તો કોઈ વ્યક્તિ કે લોકોનું જૂથ આપણી એજ્યુકેશન સિસ્ટમને, જે ભારતની સૌથી કિંમતી સંપત્તિ છે – બરબાદ કરી રહ્યું છે અને આપણા વિદ્યાર્થીઓનું જીવન બગાડી રહ્યું છે. સરકાર શું કરે છે? સજા કોઈને નહીં.

અમદાવાદ-મુંબઈ વચ્ચે આ તારીખથી દોડશે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન : જાણો ક્યારે શરૂ થશે સેવા અને ક્યાં મળશે સ્ટોપેજ

મારા નાકમાંથી લોહી નીકળ્યું: રાહુલ ગાંધી

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે સમયે પોલીસે મારી અટકાયત (ડિટેન) કરી હતી તે સમયે મારા નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ વિદ્યાર્થીઓ માટે અને દેશ માટે આટલું સહન કરવા તૈયાર છે.

પોલીસવાળાએ કહ્યું- 'સરકાર હટાવો'

જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધીને પૂછ્યું કે જ્યારે પોલીસવાળાએ તમારી અટકાયત કરી ત્યારે શું સ્થિતિ હતી અને પોલીસના લોકો સાથે શું વાત થઈ? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસવાળાએ તેમના કાનમાં કહ્યું કે 'આ સરકારને હટાવો'. રાહુલ ગાંધીએ જણાવ્યું કે હરિયાણાનો એક પોલીસવાળો હતો, જેણે કહ્યું કે સરકાર હટાવો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો : અનંતનાગના લાલ ચોકમાં પોલીસ જવાન પર ફાયરિંગ, આતંકીઓની શોધમાં સુરક્ષા દળો

સિસ્ટમ બદલવાની જરૂર: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે વાત ફક્ત એટલી નથી કે સિસ્ટમમાં ગડબડ છે, પરંતુ આ સિસ્ટમ એટલી મોંઘી છે કે તેનો બોજ ઉઠાવવો મુશ્કેલ છે. આ એક એવો આંકડો છે જેના વિશે દરેક યુવા જાણે છે, પરંતુ ભારત સરકારને કદાચ તેની જાણ નથી. એક પરીક્ષા પર પરિવારોનો એટલો જ ખર્ચ થાય છે જેટલું આપણું આખું શિક્ષણ બજેટ છે. ભારત સરકાર તમામ ટેક્સ એકઠા કર્યા પછી આપણા બાળકોના ભવિષ્ય પર પૈસા ખર્ચે છે. તે પૈસા શિક્ષણ બજેટમાં જાય છે, જે 1.4 લાખ કરોડ રૂપિયા છે.

તેમણે કહ્યું કે બીજી તરફ, દર વર્ષે NEET ની પરીક્ષા આપતા પરિવારો પણ લગભગ આટલી જ રકમ એટલે કે 1.32 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. આ તે પરિવારો સાથે સરાસર લૂંટ છે, બીજું કંઈ નથી. અને પછી, જ્યારે તમે તેમની પાસેથી આ પૈસા વસૂલી લો છો, તો તમે તેમને કહો છો કે પેપર લીક થઈ ગયું છે અને સિસ્ટમમાં ગડબડ છે. તેથી, આ જ બીજું અને વ્યાજબી કારણ છે જેના લીધે આપણા યુવાનો રસ્તા પર છે.

6 મહિના સુધી AI પાસે શોધતા રહ્યા જવાબો, પછી આખા પરિવારનો કર્યો ખાત્મો! : લિવ-ઇન પાર્ટનર સાથે મળીને ધડયું કથિત કાવતરું


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now