Home National Anantnag Terror Attack Police Head Constable Ashiq Hussain Qureshi Martyred

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો : અનંતનાગના લાલ ચોકમાં પોલીસ જવાન પર ફાયરિંગ, આતંકીઓની શોધમાં સુરક્ષા દળો

Anantnag Terror Attack
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 10:50 AM IST

Anantnag Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સુરક્ષા દળો સતત સતર્ક હોવા છતાં આતંકીઓએ વધુ એક હુમલો કરીને પડકાર ફેંક્યો છે. અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં થયેલા આ હુમલાએ ફરી એકવાર સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેના તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી પોતાની નિયમિત ડ્યૂટી દરમિયાન કોકેરનાગ રોડ પર તૈનાત હતા. આ દરમિયાન વાહનમાં આવેલા આતંકવાદીઓએ તેમના પર નિશાન સાધીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે શહીદી વહોરી હતી.

કોકેરનાગ રોડ પર ડ્યૂટી દરમિયાન થયો હુમલો

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, અનંતનાગના લાલ ચોક નજીક કોકેરનાગ જતાં માર્ગ પર હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન એક વાહનમાં આવેલા આતંકવાદીઓએ તેમના પર અચાનક ગોળીબાર શરૂ કર્યો. આતંકવાદીઓએ ખૂબ નજીકથી ફાયરિંગ કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: 6 મહિના સુધી AI પાસે શોધતા રહ્યા જવાબો, પછી આખા પરિવારનો કર્યો ખાત્મો! : લિવ-ઇન પાર્ટનર સાથે મળીને ધડયું કથિત કાવતરું


હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદી

હુમલા બાદ અન્ય પોલીસ જવાનો અને સ્થાનિક લોકોની મદદથી આશિક હુસૈન કુરેશીને તાત્કાલિક અનંતનાગની GMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. bડૉક્ટરોએ તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેમના નિધનથી જમ્મુ-કાશ્મીર પોલીસ વિભાગ તેમજ તેમના પરિવાર અને વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Image

બડગામના રહેવાસી હતા આશિક હુસૈન કુરેશી

શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીની ઉંમર આશરે 35 વર્ષ હતી. તેઓ જમ્મુ-કાશ્મીર પોલીસની IR 3rd બટાલિયન સાથે જોડાયેલા હતા અને બડગામ જિલ્લાના બીરુ વિસ્તારના રહેવાસી હતા. પોલીસ વિભાગ દ્વારા નિયમો મુજબ મેડિકો-લીગલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમના બલિદાનને લઈને સહકર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Image

સમગ્ર વિસ્તારને સીલ કરી સર્ચ ઓપરેશન શરૂ

આતંકી હુમલાની માહિતી મળતા જ પોલીસ, સેના અને અન્ય સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લાલ ચોક અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો વિસ્તારમાં આવતા-જતા વાહનોની પણ સઘન તપાસ કરી રહ્યા છે.

આતંકવાદીઓની શોધ માટે તપાસ તેજ

સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોની ઓળખ અને તેમની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવા માટે તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમને ટૂંક સમયમાં કાયદાની પકડમાં લાવવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કાશ્મીરમાં સુરક્ષા વધુ કડક

આ હુમલા બાદ સમગ્ર અનંતનાગ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. nતાજેતરના સમયમાં કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે. આવા હુમલાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્કતા વધારી રહી છે, જેથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને આતંકવાદી નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now