સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મજરા ગામમાં થયેલી જૂથ અથડામણના મામલે બેદરકારી દાખવવા મામલે પ્રાંતિજના પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એસપી પાર્થરાજસિંહ ગોહિલે આદેશ કર્યો
આ કાર્યવાહી માટે જિલ્લાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે સત્તાવાર આદેશ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મજરા ગામમાં થયેલી અથડામણ દરમિયાન સૌ જેટલા વાહનો અને મકાનોમાં તોડફોડની ઘટના બની હતી. છતાં સ્થાનિક પોલીસ દ્વારા સમયસર નિયંત્રણ ન લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
જરૂરી પગલાં લેવામાં ઉણપ!
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અથડામણ દરમિયાન પીઆઈ રશ્મિન દેસાઈએ જરૂરી પગલાં લેવામાં ઉણપ રાખી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી પોલીસ વિભાગે તેમને ફરજ પરથી તાત્કાલિક દૂર કર્યા છે. જે સંજોગોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે એનઆર ઉમટે ચાર્જ સંભાળ્યો છે. પીઆઈ ઉમટની પહેલા ખેરોજ પોલીસ સ્ટેશનમાં નિમણૂક હતી, જ્યાંથી તેમની બદલી કરવામાં આવી છે.






