Home Gujarat Rajkot Prices Of Castor Oil And Cottonseed Have Increased Sharply In One And Half Months

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! : દોઢ મહિનામાં સિંગતેલ અને કપાસિયાના ભાવમાં તોતિંગ વધારો, જાણો 1 ડબ્બાનો કેટલો વધ્યો ભાવ

Rajkot Oil Market Oil Price Hike
Published by: Nirali Gohil
Last Updated: Apr 06, 2026, 04:18 AM IST

રાજકોટ: ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા દોઢ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટના તેલ બજારમાં સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં જ તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચતા ગ્રાહકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

વૈશ્વિક પરિસ્થિતિઓ અને યુદ્ધના માહોલ વચ્ચે ખાદ્યતેલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. વિદેશથી થતી સપ્લાય ખોરવાતા સ્થાનિક બજારમાં તેલની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડી રહી છે. રાજકોટ માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ, માંગની સામે પુરવઠો ઓછો હોવાથી આગામી દિવસોમાં પણ ભાવમાં નરમાઈ આવવાના સંકેતો ઓછા દેખાઈ રહ્યા છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઉછાળો

બજારમાં મળતી લેટેસ્ટ માહિતી અનુસાર, સિંગતેલના એક ડબ્બાની કિંમતમાં અંદાજે ₹150 જેટલો વધારો ઝીંકાયો છે. અગાઉ જે ડબ્બો ₹2950 આસપાસ મળતો હતો, તેનો ભાવ હવે વધીને ₹3100 સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ અસર કપાસિયા તેલમાં જોવા મળી રહી છે. અગાઉ ₹2320માં મળતો કપાસિયા તેલનો ડબ્બો હવે ₹2560 સુધી પહોંચી ગયો છે, એટલે કે તેમાં સીધો ₹240નો વધારો થયો છે. પામોલિન તેલ પણ આ મોંઘવારીથી બાકાત નથી, જેમાં ₹2220થી વધીને ભાવ ₹2500ની સપાટીએ પહોંચ્યો છે.

આ પણ વાંચો: પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આજે મૂરતિયા જાહેર કરશે કોંગ્રેસ : સામે આવ્યું સંભવિત ઉમેદવારોનું સીક્રેટ લીસ્ટ! જાણો રીવાબા જાડેજાના નણંદ ક્યાંથી લડશે ચૂંટણી

શા માટે વધી રહ્યા છે તેલના ભાવ?

ખાદ્યતેલના ભાવ વધવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે:

  • વૈશ્વિક યુદ્ધની સ્થિતિ: રશિયા-યુક્રેન કે અન્ય ભૌગોલિક તણાવને કારણે વિદેશથી આવતા તેલની આયાત (Import) માં મોટો ઘટાડો થયો છે.

  • સપ્લાય ચેઈનમાં અવરોધ: આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ઓછી થવાને કારણે સ્થાનિક બજારમાં જરૂરિયાત મુજબનું તેલ ઉપલબ્ધ નથી.

  • માંગમાં વધારો: તહેવારો અને લગ્નસરાની સીઝનને કારણે બજારમાં ખાદ્યતેલની માંગ સતત વધી રહી છે, જેની સામે પુરવઠો મર્યાદિત છે.

સામાન્ય જનતા પર આર્થિક બોજ

ખાદ્યતેલ એ દરેક પરિવારની પ્રાથમિક જરૂરિયાત છે. દોઢ મહિનામાં ₹150 થી ₹240 જેવો મોટો વધારો મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો પ્રહાર છે. ગૃહિણીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડર અને શાકભાજી બાદ હવે તેલના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જો સરકાર દ્વારા આયાત શુલ્ક કે સપ્લાય બાબતે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now