Home International Pok Rawalakot Protest Pakistan Army Firing Deaths Gujarati

16ના મોત, અનેક ઘાયલ; PoKમાં મુનીરની સેનાએ ફરી કર્યો 'નરસંહાર' : પ્રદર્શન કરી રહેલા લોકો પર AK-47થી અંધાધૂંધ ફાયરિંગ

Rawalakot Protest
Published by: Viral Patel
Last Updated: Jun 11, 2026, 01:29 PM IST

Protest in PoK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આઝાદીનો અવાજ સતત બુલંદ થઈ રહ્યો છે. સેનાની કઠપૂતળી સમાન શાહબાઝ શરીફ સરકાર દ્વારા પીઓકેમાં લોકોને ડરાવવાનો જેટલો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, વિરોધની આગ એટલી જ વધુ ભભૂકી રહી છે. આ દરમિયાન રાવલકોટથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન નિઃશસ્ત્ર લોકો પર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે, જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે.

વાસ્તવમાં, આ પહેલા 9 જૂને થયેલા પ્રદર્શનમાં પણ સેના તરફથી પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ગુરુવારે પણ સામાન્ય નાગરિકો દ્વારા સસ્તો લોટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમય પછી પાકિસ્તાની સેનાએ લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું.

હોર્મુઝ જળમાર્ગમાં વધતું સંકટ : ઓમાન કિનારે હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત, અમેરિકા સામે ભારતનો કડક વિરોધ

રાવલકોટમાં પાકિસ્તાની સેનાનો કહેર

માહિતી અનુસાર, રાવલકોટમાં આશરે 60,000 થી 70,000 લોકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં પાકિસ્તાન સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન કેટલીક જગ્યાએ સુરક્ષાકર્મીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી હતી. પ્રદર્શન કરી રહેલા લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આર્થિક તંગી સામે અવાજ ઉઠાવવા આવેલા પુરુષો, મહિલાઓ અને યુવાનો અચાનક પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.

લોહીથી લથપથ જોવા મળી સડકો

રાવલકોટમાં ફાયરિંગની આ ઘટના બાદ ચોંકાવનારો નજારો સામે આવ્યો છે. અહીંના રસ્તાઓ પર લોહીના ડાઘ અને ખેતરોમાં પોતાના સ્વજનોની શોધખોળ કરતા લોકો જોવા મળ્યા હતા. એવું કહેવાય છે કે પાકિસ્તાની સેનાના જવાનોએ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર એકે-47 (AK-47) રાઇફલોથી ગોળીબાર કર્યો હતો, જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 37 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી આ હત્યાઓએ લોકોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા આટલો કહેર વર્તાવવામાં આવ્યો હોવા છતાં, લોકો પ્રદર્શનથી પાછળ હટવા તૈયાર નથી.

હિંદ મહાસાગરમાં મળ્યું 53 લાખ વર્ષ જૂનું ‘વ્હેલ કબ્રસ્તાન’ : સમુદ્રની 7 કિલોમીટર ઊંડાઈએ કરોડો વ્હેલના અવશેષો જોઈ વૈજ્ઞાનિકો પણ થઈ ગયા આશ્ચર્યચકિત


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now