પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 131 માં એપિસોડમાં T20 World Cup 2026 નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે તે ભારતીય મૂળના ખેલાડીઓની ખૂલીને પ્રશંસા કરી, જે અમેરિકા, કેનેડા અને ઓમાન જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભાની ઓળખ આપી રહ્યા છે.
ભારતીય મૂળના ખેલાડીઓ પર ગર્વ
PM મોદીએ કહ્યું કે, રમત માત્ર જીત કે હાર સુધી સીમિત નથી હોતી, પરંતુ આ સંસ્કૃતિઓ અને દેશોને જોડવાનું માધ્યમ પણ બને છે. તમને ખાસ કરીને જે ક્રિકેટરોના મૂળ ભારત સાથે જોડાયેલા છે અને અન્ય દેશોની નેશનલ ટીમમાં રમતા પણ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોથી પ્રેરણા લે છે, તે ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો હતો.
કેનેડાની ટીમ સાથે જોડાયેલા દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર અને નવનીત ઢાળીવાલ, અમેરિકાની ટીમ સાથે જોડાયેલા સૌરભ નેત્રવલકર, હરમીત સિંહ અને મોનાંક પટેલનું નામ લેતા તેમણે કહ્યું કે આ ખેલાડીઓની મહેનત અને સમર્પણ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. PM મોદીએ કહ્યું, આ ભારતીય પ્રતિભાની વૈશ્વિક ઓળખનું પ્રમાણ છે.




















