પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' થી સરકારે અત્યાર સુધીમાં ₹34.13 કરોડ કમાયા છે.
શુક્રવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતિ અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને જણાવ્યું કે આકાશવાણી આ કાર્યક્રમ પોતાના હાલના સંસાધનો દ્વારા, કોઈ વધારાના ખર્ચ વિના, તૈયાર કરે છે.
🔹 કાર્યક્રમની શરૂઆત
પ્રથમ પ્રસારણ : 3 ઓક્ટોબર, 2014
પ્રસારણ માધ્યમો :
આકાશવાણીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેટવર્ક
પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ
દૂરદર્શનની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો
48 આકાશવાણી રેડિયો ચેનલો
92 ખાનગી ટીવી ચેનલો (ડીડી ફ્રી ડિશ મારફતે)
🔹 પહોંચ
આ કાર્યક્રમ ગ્રામિણ અને દૂરના વિસ્તારો સુધી પહોંચે છે.
ડિજિટલ માધ્યમો દ્વારા પણ વ્યાપક રીતે ઉપલબ્ધ છે, જેમ કે:
યુટ્યુબ ચેનલો (પીએમઓ ઇન્ડિયા, AIR, પ્રસાર ભારતી)
ઓટીટી પ્લેટફોર્મ : વેવ્ઝ
મોબાઇલ એપ : AIR (260 થી વધુ ચેનલો)
સોશિયલ મીડિયા : ફેસબુક, X, ઇન્સ્ટાગ્રામ
🔹 લોકપ્રિયતા
મુરુગને જણાવ્યું કે વિઝ્યુઅલ ફોર્મેટે શ્રોતાઓને વધુ આકર્ષ્યા છે અને સામૂહિક ચર્ચાનો અવસર આપ્યો છે. આ કાર્યક્રમ PB શબ્દ ન્યૂઝ ફીડ સેવા દ્વારા પણ વિતરણ થાય છે.




















