PM Modi celebrated Christmas: નાતાલના પવિત્ર પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વધર્મ સમભાવની ભાવના સાથે દિલ્હીના પ્રખ્યાત કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનની મુલાકાત લીધી હતી. તેમણે સવારની પ્રાર્થના સેવામાં ભાગ લીધો અને દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાતથી ખ્રિસ્તી સમુદાયમાં ખુશીનો માહોલ છવાયો છે.
પ્રાર્થના સેવામાં હાજરી: લાખો ભક્તો સાથે ઉજવણી
પ્રધાનમંત્રી મોદીએ 25 ડિસેમ્બર, 2025ના રોજ સવારે કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં ક્રિસમસની પ્રાર્થના સેવામાં હાજરી આપી હતી. આ સેવામાં દિલ્હી અને ઉત્તર ભારતના લાખો ખ્રિસ્તી ભક્તો સાથે તેમણે પ્રાર્થના, કેરોલ્સ અને હિમ્સમાં ભાગ લીધો. દિલ્હીના બિશપ આર્ટી રેવ પોલ સ્વરૂપે પીએમ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
પીએમ મોદીનો સોશિયલ મીડિયા પર સંદેશ: સંવાદિતા અને ભાઈચારાની અપીલ
પીએમ મોદીએ પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર ચર્ચના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. તેમણે લખ્યું, "દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં ક્રિસમસની સવારની પ્રાર્થનામાં હાજરી આપી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે ક્રિસમસની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે."તેમણે વધુમાં લખ્યું, "દરેકને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા આનંદમય ક્રિસમસની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતા મજબૂત કરે."
દિલ્હીનું સૌથી મોટું અને ઐતિહાસિક ચર્ચ: સુંદર સ્થાપત્ય અને ખાસ સજાવટ
કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન દિલ્હીનું સૌથી મોટું અને જૂનું ચર્ચ છે, જે તેના ગોથિક સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. દર વર્ષે ક્રિસમસ પર અહીં ખાસ સજાવટ કરવામાં આવે છે અને દેશભરમાંથી ભક્તો પ્રાર્થના અને ઉજવણી માટે આવે છે.
પીએમ મોદીની પરંપરા: ખ્રિસ્તી સમુદાય સાથે જોડાણ
આ પહેલી વાર નથી કે પીએમ મોદીએ ક્રિસમસ પર ચર્ચની મુલાકાત લીધી હોય. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ખ્રિસ્તી સમુદાયના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપે છે. 2023માં ઈસ્ટર પર તેમણે દિલ્હીના સેક્રે





















