રાજ્યસભામાં આજે પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. આજે વિદેશ મંત્રી એસ જયશંકરે ચર્ચા શરૂ કરી છે. વિદેશ મંત્રીએ પહેલગામ હુમલા પછી સરકારે લીધેલા પગલાંની વિગતો આપી હતી. તેમણે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
DGMOએ ચેનલ દ્વારા પાકિસ્તાન સાથે થઈ વાત કરી: એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ''અમારા લક્ષ્યો નક્કી છે. અમે કાર્યવાહી કરી અને એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહીં. જો કોઈ વાતચીત થશે તો તે ફક્ત ડીજીએમઓ ચેનલ દ્વારા જ થશે. પાકિસ્તાનના ડીજીએમઓએ અમારા ડીજીએમઓ સાથે વાત કરી અને હુમલો રોકવાની વિનંતી કરી''.
'UNSC રિપોર્ટ પાકિસ્તાનનો પર્દાફાશ કરે છે'
વિદેશ મંત્રીએ કહ્યું કે, ''આપણે એક કે બે કે 10 વર્ષથી નહીં, પરંતુ 1947થી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. દુનિયાએ ભારતમાં આતંકવાદી હુમલા જોયા છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આનાથી પાકિસ્તાનનો પર્દાફાશ થયો. અમે તહવ્વુર રાણાને લાવ્યા. અમે 26/11 ના ગુનેગારને લાવ્યા''. વિદેશ મંત્રીએ કહ્યું કે, ''અમારી રાજદ્વારી સફળ રહી. અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમની સરકાર દરમિયાન એવું કહેવામાં આવતું હતું કે બંને દેશો આતંકવાદથી પીડાઈ રહ્યા છે''.
મોદી સરકારના એક દાયકામાં શું બદલાયું?
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત વર્ષોથી સરહદ પારથી આતંકવાદનો ભોગ બન્યું છે. અમે જે કહી રહ્યા છીએ તે કરીશું. જ્યારે પણ આવી મોટી ઘટનાઓ બને છે, મુંબઈમાં બને છે, ટ્રેન બોમ્બ વિસ્ફોટ થાય છે અને થોડા મહિના પછી તમે ના કહો છો, તે ઠીક છે. જે થઈ ગયું તે થઈ ગયું, ચાલો વાત કરીએ. મને કહો કે દુનિયા તેને કેવી રીતે ગંભીરતાથી લઈ શકે છે. છેલ્લા દાયકામાં શું કહેવામાં આવ્યું હતું. જયશંકરે કહ્યું કે, અમે આતંકવાદને વૈશ્વિક એજન્ડા બનાવ્યો. મોદી સરકારના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું. આજે આતંકવાદીઓને મળતું ભંડોળ બંધ થઈ ગયું છે.






