પહેલગામ હુમલા બાદ ભારતે 3 યુદ્ધોમાં નથી થયું તેવું પગલું લઇ પાકિસ્તાનને પોતાના કર્મોની સજા આપવાનું નક્કી કર્યું છે. તેવામાં ભારતે સ્થગિત કરેલી સિંધુ જળ સંધિને લઇને હવે પાકિસ્તાનમાં રીતસર ખૌફ જોવા મળી રહ્યો છે. તેવામાં પાકિસ્તાની સંસદમાં સાંસદ સૈયદ અલી ઝફરનું નિવેદન વાયરલ થઇ રહ્યું છે. પાકિસ્તાની સેનેટર સૈયદ અલી ઝફરે 23 મે, 2025ના રોજ સંસદમાં સિંધુ જળ સંધિ અંગે ઉગ્ર નિવેદન આપ્યું.. વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના વરિષ્ઠ નેતા ઝફરે ભારતના આ પગલાને "વોટર બોમ્બ" ગણાવ્યો હતો. આ સાથે ચેતવણી આપી હતી કે વધતી જતી કટોકટીનો ઉકેલ લાવવામાં નિષ્ફળતા પાકિસ્તાનને દુષ્કાળ અને સામૂહિક ભૂખમરામાં ધકેલી દેશે. "જો આપણે હમણાં પગલાં નહીં લઈએ, તો આપણે ભૂખથી મરી જઈશું!" તેમણે ગર્જના કરી, ભાર મૂક્યો કે સિંધુ બેસિન - પાકિસ્તાનની કૃષિ જીવનરેખા જે તેના 80% પાણીનો પુરવઠો પૂરો પાડે છે જે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના આક્રમક વલણથી તૂટી ગઈ છે.
आतंक पालोगे तो भूखे और प्यासे ही मरोगे!
— Himanshu Yadav Bjp (@bjphimanshuyadv) May 23, 2025
सैयद अली ज़फ़र खुद मान रहे हैं—अगर सिंधु जल पर भारत ने शिकंजा कस दिया तो पाकिस्तान में अन्न और बिजली दोनों के लाले पड़ जाएंगे। pic.twitter.com/LYht4ENR3L
ઝફરનો આક્રોશ પાકિસ્તાનની હતાશાને દર્શાવે છે. પહેલગામ હુમલા બાદ ભારત તેની નદીઓની સ્ટોરેજ ક્ષમતા શક્તિને વધારી રહ્યું છે. ભારતે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પ્રવાહને પાકિસ્તાન નહીં જવા દેવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની 90% ખેતી અને તેની હાઇડ્રો પાવરનો ત્રીજો ભાગ સિંધુ નદી પર આધાર રાખે છે. જેને લઇને ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન પર અસ્તિત્વનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતનો આ નિર્ણય, સરહદ પાર આતંકવાદ માટે પાકિસ્તાનના સમર્થનનો સીધો જવાબ છે. ભારતના મિલિટરી એક્શનથી પહેલાં જ પાકિસ્તાન ધ્રુજી ચૂક્યું છે. તેવામાં ભારતના નિર્ણય બાદ કરાચી જેવા પાકિસ્તાનના મોટા શહેરો પાણીની અછત વચ્ચે પતનની અણી પર છે. એટલું જ નહીં ભારતે કાશ્મીરમાં બંધ પ્રોજેક્ટ્સને વેગ આપીને આતંકવાદને સમર્થન આપતાં પાકિસ્તાન પર ફંદો વધુ કડક રીતે કસ્યો છે. હાલમાં જ શાહબાઝે ખોખલી ધમકી આપી હતી કે જો ભારત સિંધુનું પાણી રોકશે તો પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી કરશે. જો કે પાકિસ્તાનની યુદ્ધની ધમકીઓ ભારતના વ્યૂહાત્મક વર્ચસ્વ સામે પોકળ લાગે છે. અને હવે પાકિસ્તાનના નેતાઓને સિંધુ જળ સંધિ રોકવાના ભારતના નિર્ણયની ગંભીરતા સમજાઇ રહી છે. જેને લઇને પાકિસ્તાનની સરકાર અને તેના નેતાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.





