N.S. Rajasubramanian: ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય (નિવૃત્ત)ને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 મે, 2026થી જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળ પૂરો થયા બાદ આ જવાબદારી સંભાળશે.
તેઓ પદ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી લશ્કરી બાબતોના વિભાગ (Department of Military Affairs) ના સચિવ તરીકે પણ કાર્યરત રહેશે.
લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યની પૃષ્ઠભૂમિ
લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય 1 સપ્ટેમ્બર, 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે કાર્યરત છે. તેમણે અગાઉ અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સેવા આપી છે:
1 જુલાઈ, 2024 થી 31 જુલાઈ, 2025 સુધી: ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ
માર્ચ 2023થી જૂન 2024 સુધી: સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C)
આ 5 ફિલ્મ એક્ટર્સે CM બન્યા પછી અભિનય છોડ્યો: થલાપતિ વિજય મુખ્યમંત્રી બનશે તો ઈતિહાસનું થશે પુનરાવર્તન!
CDS પદનું મહત્વ
CDS ભારતના ત્રણેય સશસ્ત્ર દળો - સેના, નૌકાદળ અને વાયુસેના - વચ્ચે સંકલન અને સુસંગતતા સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી ધરાવે છે. આ પદ કારગિલ યુદ્ધ પછી અનુભવાયેલી સંકલનની ખામીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ 2019માં સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ પદની જાહેરાત કરી હતી.
પ્રથમ સીડીએસ: જનરલ બિપિન રાવત (જે 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા)
વર્તમાન સીડીએસ: જનરલ અનિલ ચૌહાણ (કાર્યકાળ 30 મે, 2026 સુધી)
લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યની નિમણૂકને રાષ્ટ્રીય સુરક્ષા અને સશસ્ત્ર દળોના આધુનિકીકરણના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.





