Flood in North-East India: ભારતમાં હવે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આગમન થતાંની સાથે જ મેઘરાજાએ પોતાનો મિજાજ બતાવી દીધો છે. જેને કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગ એટલેકે, નોર્ટ-ઈસ્ટના રાજ્યોમાં આકાશી આફતથી તબાહી મચી છે. જેને કારણે છેલ્લાં બે દિવસમાં 32 લોકોનાં મોત થયા છે. ખાસ કરીને સિક્કિમ, મિઝોરમ, આસામ, અરુણાતલ પ્રદેશ અને તેને અડીને આવેલાં રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. આ આકાશી આફતના કારણે હજારો લોકોના જનજીવનને અસર પહોંચી છે.
ભારતના અનેક રાજ્યોમાં ચોમાસાની વહેલી એન્ટ્રી એક ગભાવહ સ્થિતિ ઉભી કરી રહી છે. ઉત્તરપૂર્વના રાજ્યો સહિત મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને તોફાની પવનોની અસર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં 32થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનો દૈનિક જીવસંસાર અસ્તવ્યસ્ત થયો છે.
ઉત્તર-પૂર્વ ભારતમાં હાલત ખરાબ:
ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. ખાસ કરીને દેશના અસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં અત્યંત ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
જાણો કયા રાજ્યમાં કેટલું નુકસાન થયું?
અસામમાં ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યારસુધીમાં 16 લોકોના મોત થયા છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાના રાષ્ટ્રીય ધોરી માર્ગ 13 પર બે પરિવારોની કાર ઊંડી ખીણમાં ખાબકતાં 7 લોકોના મૃત્યુ થયા છે. મિઝોરમના સેરછીપમાં ભૂસ્ખલનથી 13 મકાન ધરાશાયી થયા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સિક્કિમના ઉત્તર ભાગમાં લગભગ 1,500 પ્રવાસીઓ ફસાઈ ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે સંકટ વધી શકે છે.
હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાની ચેતવણી:
હિમાચલ પ્રદેશમાં 1 અને 2 જૂન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. ચંબા, કાંગડા, શિમલા, કુલ્લુ અને મંડી સહિતના વિસ્તારોમાં વીજળી અને તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. સોલન અને સિરમૌર માટે પણ આગાહી બહાર પાડવામાં આવી છે.
મધ્યપ્રદેશ:
લુથી રાહત, પરંતુ વરસાદનો નવો રેકોર્ડ
ભોપાલ સહિત મધ્યપ્રદેશમાં આ વર્ષે મે મહિનામાં લુનું પ્રમાણ ન્યુનતમ રહ્યું છે.
ભોપાલમાં પારો એકેય દિવસ 43°C સુધી પહોંચ્યો નહીં.
ઇન્દોરમાં 139 વર્ષમાં સૌથી વધુ, 4.6 ઇંચ વરસાદ નોંધાયો.
કુલ 53 જિલ્લામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભૂમિચર વિકાસ અને ખેતી પર પણ અસર થવાની શક્યતા છે.
રાજસ્થાન:
તોફાની પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના 14 જિલ્લામાં વાવાઝોડું અને વરસાદની આગાહી છે. 2 થી 4 જૂન દરમિયાન રાજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભરતપુર, અલવર, બારન જેવા વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે, જ્યારે ચુરુ, શ્રીગંગાનગર અને હનુમાનગઢમાં ગરમીનો કડાકો યથાવત છે.
બિહાર:
બિહારમાં વરસાદી કહેરને પગલે વીજળી માટે લોકોને એલર્ટ કરાયા છે. રવિવારે બિહારના 13 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયો છે. પવનની ગતિ 40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. રાજ્યના 25 જિલ્લામાં ભેજવાળી ગરમી લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
ચોમાસુ 13 થી 15 જૂન દરમિયાન પ્રવેશી શકે છે, અને ગયા વર્ષ કરતા વધુ વરસાદની શક્યતા છે.
ભારતના અનેક ભાગોમાં ચોમાસાની અસરો વહેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બચાવ કામગીરી શરૂ કરી છે, પરંતુ અચાનક હવામાનમાં આવેલાં પરિવર્તનને લઈને સ્થાનિક નાગરિકો માટે ચેતવણી અને સતર્કતાની તૈયારી જરૂરી બની છે. જેથી હવામાન વિભાગ દ્વારા સતત અપડેટ મેળવતા રહેવું અને સુરક્ષિત સ્થળે રહેવું જરૂરી છે.





















