Home International Nitin Gadkari Response Parliament Delhi Old Vehicle Ban Transport And Highways Minister India

દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધના મુદ્દા પર નીતિન ગડકરીનો જવાબ : ''આ NGTનો નિર્ણય છે, સરકારનો નહીં''

દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધના મુદ્દા પર નીતિન ગડકરીનો જવાબ
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 01:35 PM IST

રાજધાની દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં પ્રતિક્રિયા આપી છે. નીતિન ગડકરીએ કહ્યું કે, ''આ નિર્ણય સરકારનો નહીં પરંતુ NGTનો છે''. તેમણે કહ્યું કે ''NGT અને સુપ્રીમ કોર્ટના આદેશ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે''. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ''સરકારે જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ NGT એ પોતે NCRમાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે''. નીતિન ગડકરીએ એક પ્રશ્નના જવાબમાં લેખિતમાં આ જવાબ આપ્યો છે.


નીતિન ગડકરીએ કહ્યું?

પોતાના જવાબમાં તેમણે એમ પણ કહ્યું કે ''સરકારની વાહન સ્ક્રેપિંગ નીતિ 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી નથી''. તેમણે વધુમાં કહ્યું કે ''સુપ્રીમ કોર્ટે NCR રાજ્યોના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે ''7 એપ્રિલ, 2015 ના NGT ના આદેશ મુજબ, 10 વર્ષથી વધુ જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં''.

જૂના વાહનો પર પ્રતિબંધનો સમગ્ર મામલો શું છે?

દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધનો મુદ્દો વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લાગુ કરાયેલા પગલાં સાથે સંબંધિત છે. આ અંતર્ગત 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોને 'એન્ડ-ઓફ-લાઇફ' (EOL) કહીને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આવા વાહનોને પેટ્રોલ અથવા ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. દિલ્હી સરકારે 1 જુલાઈ, 2025 થી પેટ્રોલ પંપ પર EOL વાહનોને બળતણ ન આપવા અને રસ્તાઓ પર પકડાય તો તેને જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. જોકે, તેનો વિરોધ થતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


દિલ્હીના પર્યાવરણ મંત્રીએ CAQMને પત્ર લખ્યો હતો

ભારે વિરોધ બાદ દિલ્હી સરકારે આ નીતિ 1 નવેમ્બર, 2025 સુધી મુલતવી રાખી અને કહ્યું કે આ નીતિ 1 નવેમ્બર પછી NCRમાં લાગુ કરવામાં આવશે. આ અંગે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ CAQMને પત્ર લખીને નિયમ થોડા દિવસો માટે મુલતવી રાખવા અને ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, સોનીપત, ગૌતમ બુદ્ધ નગર (NCR)માં પણ લાગુ કરવાની વિનંતી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video