રવિવારે રાત્રે બેંગલુરુના જગજીવન રામ નગરમાં ઓમ શક્તિ મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા દરમિયાન રથ ખેંચી રહેલા ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે શોભાયાત્રા દરમિયાન બદમાશોએ રથ પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લગાવતી ફરિયાદ મળી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે બાળકોને માથામાં ઈજા થઈ હતી.
બેંગલુરુમાં શોભાયાત્રા દરમિયાન રથ પર પથ્થરમારો
કથિત હુમલા બાદ, શ્રદ્ધાળુઓ જગજીવન રામ નગર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને ગુનેગારો સામે કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધીઓએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. ઘટના બાદ શ્રદ્ધાળુઓએ FIR નોંધાવવાનો આગ્રહ રાખ્યો હતો.
પોલીસ સ્ટેશનની બહાર ભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું
પોલીસે જણાવ્યું હતું કે FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને પશ્ચિમ વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર યતીશ એનબીએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
પોલીસે જણાવ્યું કે "ગુનેગારોની ઓળખ થઈ ગયા પછી, તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે."





















