Home Gujarat Mundra Dhrab Village Tyre Yard Massive Fire Gujarati News

મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના વાડામાં વિકરાળ આગ : ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

ટાયરના ગોડાઉનમાં લાગેલી આગની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 28, 2026, 01:44 PM IST

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ નજીક ટાયરના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ધ્રબ ગામ પાસે આવેલા ટાયરના સ્ટોરેજ વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટાયર જેવા જ્વલનશીલ સામાનને કારણે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાંથી નીકળતો ઘેરો કાળો ધુમાડો અનેક કિલોમીટર દૂરથી પણ જોવા મળતો હતો.

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ટાયર સળગવાને કારણે સતત ધુમાડો અને તાપ નીકળતા બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત DySp દ્વારા ફાયરિંગ અને લોકઅપમાં ધક્કામુક્કી : બંદૂક કાઢીને જાહેરમાં કેમ કર્યા ભડાકા? જાણો જમીન વિવાદ અને ફાયરિંગ પાછળ શું છે સત્ય

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટ, બેદરકારી કે અન્ય કોઈ કારણસર લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગમાં કેટલું નુકસાન થયું છે તેની પણ હજી સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: જાફરાબાદના હેમાળ નજીક ત્રિપલ અકસ્માત : હાઈ-વે પર કાળમુખા વાહનોએ વૃદ્ધનો ભોગ લીધો, 77 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

સ્થાનિકોમાં ભયનો માહોલ

આગના ગોટેગોટા અને ધુમાડાના કારણે આસપાસના ગામોના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. કેટલાક સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા, જ્યારે પોલીસે અને સ્થાનિક તંત્રએ લોકોને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપી હતી. ટાયરના વાડામાં આગ લાગવાના બનાવને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સળગતા ટાયરમાંથી ઝેરી ધુમાડો નીકળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now