માલદીવ અને ગોવા તો હવે જૂના થયા છે. ભારતીય ફરવા માટે હવે મલેશિયાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. નવી ફ્લાઈટ્સ અને 30 દિવસની વિઝા છૂટના કારણે 2024માં મલેશિયા જતા ભારતીય પર્યટકોની સંખ્યામાં 71.7 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024 દરમિયાન ભારતમાંથી 10,09,114 પ્રવાસીઓ મલેશિયા પહોંચ્યા હતા, જે 2023ની સરખામણીમાં 71.7 ટકા વધુ છે. તેમણે કહ્યું કે ચેન્નાઈથી પેનાંગ, બેંગલુરુથી લેંગકાવી અને બેંગલુરુથી કુઆલાલંપુર સહિતના નવા ફ્લાઈટ રૂટ આ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિમાં વધારો થવાને કારણે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
આ સાથે મલેશિયાએ ભારતીય નાગરિકો માટેની 30 દિવસ વિઝાની છૂટને ડિસેમ્બર 2026 સુધી વધારવાના નિર્ણયને બંને દેશો વચ્ચે સંપર્ક વધારવામાં એક મહત્વનો માઈલ સ્ટોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ તમિલનાડુ અને આખા ભારતના લોકો માટે વિઝાનું આવેદન કરવા માટે પરેશાની વિના મલેશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પ્રાચીન સમુદ્ર તટો અને જીવંત શહેરોને જોવાનો સારો અવસર છે.
મલેશિયામાં ફરવાની જગ્યાઓ
મલેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાનો એક દેશ છે, જે તેના સુંદર દરિયાકિનારા, વિવિધ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. રાજધાની કુઆલાલંપુરમાં પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ અને બુકિટ બિન્ટાંગ જેવા આધુનિક આકર્ષણો જોઈ શકાય છે. તે જ સમયે, લેંગકાવી આઇલેન્ડ તેના સફેદ રેતીના દરિયાકિનારા અને લેંગકાવી સ્કાય બ્રિજ જેવા અનન્ય સ્થળો માટે પ્રખ્યાત છે.






