નવસારીમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું નિધન થયું છે. 93 વર્ષની વયે નીલમબેને અંતિમ શ્વાસ લીધા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરખીના ઘરે નિવાસ કરતા હતા. આવતીકાલે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે.
મળતી માહિતી અનુસાર તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. તેમના નિધનથી સમગ્ર ગાંધી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ સાચા ગાંધીવાદી હતી. તેમણે પોતાનું આખું જીવન વ્યારામાં વિતાવ્યું. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.
દાદાગીરી ઉતરી ગઈ!: વડોદરામાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે તલવારો ઉછળી, પોલીસે આ રીતે કાઢી આરોપીઓની હેકડી






