જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. ઘટનામાં ડીએસપી સહિત સાત પોલીસકર્મીઓ ઘાયલ થયાતા. સુરક્ષા દળોએ ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા.
PTIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અથડામણ ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તાજેતરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓના જૂથ સામે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થઈ હતી. આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા હતા અને તેમની તરફ આવતા સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.
રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલે ગામ નજીક થયેલી અથડામણમાં લગભગ અડધો ડઝન આતંકવાદીઓ સામેલ હોવાની શંકા છે. આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને કારણે હજુ સુધી શહીદ સૈનિકોના મૃતદેહો મળી આવ્યા નથી.
#IndianArmy
— Rising Star Corps_IA (@RisingStarCorps) March 27, 2025
OP SAFIYAN
Based on Intelligence Inputs, a Joint Search Operation was launched today (27 Mar 25) by troops of #RisingStarCorps & @JmuKmrPolice near Safiyan village #Kathua. Terrorists fired indiscriminately on own troops and heavy fire-fight… pic.twitter.com/Rfp4QRNJiH
"બધાને ટૂંક સમયમાં ઠાર કરાશે"
કઠુઆમાં મોટા પાયે આતંકવાદ વિરોધી અભિયાનની આગેવાની કરી રહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ નલિન પ્રભાતે ગુરુવારે રાત્રે જ બે આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ વધુ એક આતંકવાદીના મોતની ખબર આવી હતી.
#WATCH | Kathua, J&K: Security forces continue the cordon and search operation in the Saniyal area of Hiranagar for the third consecutive day.
— ANI (@ANI) March 26, 2025
After receiving input regarding the presence of terrorists, a joint operation was launched by J&K Police and troops of Rising Star Corps… pic.twitter.com/LFnbJg95aT
સર્ચ ઓપરેશન પાંચ દિવસ સુધી ચાલ્યું
આતંકવાદીઓ સામે આ સર્ચ ઓપરેશન 5 દિવસ સુધી ચાલી રહ્યું હતું. રવિવારે સાન્યાલના જંગલોમાં ઓછામાં ઓછા પાંચ આતંકવાદીઓ હતા. પોલીસ સાથે અથડામણ બાદ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા અને 20 કિમી દૂર જુથાના પહોંચ્યા હતા. ગુરુવારે સવારે પોલીસે ફરીથી તેમને જુથાનાના જંગલોમાં ઘેરી લીધા હતા. ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.





