Home Gujarat Kandla Deendayal Port Jetty 13 Cargo Operation Accident Three Workers Dead

કંડલા દીનદયાળ પોર્ટમાં મોટી દુર્ઘટના : કાર્ગો ઓપરેશન દરમિયાન ત્રણ મજૂરોના મોત, ગેસ ગુંગળામણની આશંકા

M.V. PAN OPTIMUM
Published by: Viral Patel
Last Updated: May 13, 2026, 02:40 PM IST

Ahmedabad News: કંડલાના દીનદયાળ પોર્ટ પર બુધવારે એક અત્યંત કરુણ અને ગંભીર દુર્ઘટના ઘટી હતી, જેમાં શ્વાસ રુંધાઈ જવાથી ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે પોર્ટ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. કંડલા સ્થિત દીનદયાળ પોર્ટની જેટ્ટી નંબર 13 પર બુધવારે M.V. PAN OPTIMUM નામનું જહાજ લાંગરેલું હતું. આ જહાજમાં જ્યારે કાર્ગો ઓપરેશનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. રીશી શિપિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ ફરજ બજાવતા ત્રણ મજૂરો જહાજના કાર્ગો હોલ્ડ નંબર 03 ના મેનહોલ વિસ્તારમાં ઉતર્યા હતા. થોડા સમય બાદ આ ત્રણેય શ્રમિકો ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

વડોદરાના આંગણે ઇતિહાસ રચાયો! : દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 લશ્કરી વિમાન તૈયાર, જાણો શું છે વિશેષતાઓ

મૃતક શ્રમિકોની ઓળખ

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ શ્રમિકોના નામ નીચે મુજબ છે. 1. રાજેશ, 2. માસુક અલી અને 3. રાજકુમારનો સમાવેશ થાય છે.

રેસ્ક્યુ ઓપરેશન અને મેડિકલ સહાય

ઘટનાની જાણ થતાં જ જહાજના ક્રૂ મેમ્બર્સ અને પોર્ટની ઈમરજન્સી ટીમ દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત જહેમત બાદ ત્રણેય મજૂરોને મેનહોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોર્ટની એમ્બ્યુલન્સ મારફતે તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

દુર્ઘટનાનું સંભવિત કારણ

પ્રાથમિક તપાસ અને ડોક્ટરોના મતે, આ ત્રણેય શ્રમિકોના મોત ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી થયા હોવાની પ્રબળ આશંકા છે. જહાજના હોલ્ડના બંધ વિસ્તારમાં ઓક્સિજનની કમી અથવા અન્ય હાનિકારક ગેસના કારણે આ જાનહાનિ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ફરી વિવાદ ઉગ્ર : હાઈકોર્ટના આદેશોની અવગણનાના આક્ષેપોથી ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા

તંત્ર દ્વારા તપાસના આદેશ

આ ગંભીર બેદરકારી કે અકસ્માત મામલે સંબંધિત તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી છે. દીનદયાળ પોર્ટ પ્રશાસન અને શિપિંગ એજન્સી દ્વારા આ ઘટના કયા સંજોગોમાં બની અને સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક અને શિપિંગ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે કડક નિયમો હોવા છતાં, આવી ઘટનાઓ સુરક્ષાના સાધનો અને સાવચેતીના અભાવ સામે આંગળી ચીંધે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now