ઈઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે 30 માર્ચ, 2025ના રોજ કહ્યું હતું કે ગાઝામાં હમાસ પર ઇઝરાઇલનું લશ્કરી દબાણ અસરકારક રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથે તેના શસ્ત્રો મુકી દેવા જોઈએ. નેતન્યાહુએ કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે જ્યારે વાટાઘાટો દબાણ હેઠળ થઈ રહી છે, ત્યારે હમાસે હજુ પણ તેના શસ્ત્રો મૂકવા પડશે.
બેઠક દરમિયાન તેઓએ કહ્યું કે અમે દબાણ હેઠળ વાતચીત કરી રહ્યા છીએ. આપણે જોઈ શકીએ છીએ કે જૂથે તેની વાટાઘાટોમાં જે માંગ કરી છે તેમાં તિરાડો દેખાવા લાગી છે. અમે તૈયાર છીએ. હમાસે તેના શસ્ત્રો મૂકવા પડશે. તેના નેતાઓને ગાઝા છોડવાની મંજૂરી આપવામાં આવશે. નેતન્યાહૂની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઇજિપ્ત, કતાર અને અમેરિકા જેવા દેશો યુદ્ધવિરામની મધ્યસ્થી કરવા અને ગાઝામાં હજુ પણ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ રાખે છે.
હમાસે શું કહ્યું?
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે (29 માર્ચ, 2025) જણાવ્યું હતું કે જૂથે મધ્યસ્થીઓ દ્વારા રજૂ કરાયેલા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને ઇઝરાયેલને તેનું સમર્થન કરવા વિનંતી કરી છે. નેતન્યાહૂની ઓફિસે પ્રસ્તાવ મળવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલે વળતો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
"હમાસે તેના હથિયાર મુકી દેવા જોઈએ"
રવિવારે, નેતન્યાહુએ એવા દાવાને નકારી કાઢ્યો હતો કે ઇઝરાયેલ આવી સમજૂતી પર ચર્ચા કરવામાં રૂચી નથી રાખતું જેનાથી હજુ પણ ગાઝામાં બંધકોની મુક્તિની ખાતરી થાય. પરંતુ તેમણે આગ્રહ કર્યો હતો કે હમાસે હથિયાર મુકી દેવા પડશે.
ગાઝા પટ્ટીમાં ઘણા અઠવાડિયાઓ સુધી યુદ્ધવિરામ રહ્યું હતું, પરંતુ 18 માર્ચે જ્યારે ઇઝરાયેલે પેલેસ્ટાઈનના પ્રદેશમાં હવાઈ હુમલો અને જમીન પરના હુમલા ફરી શરૂ કર્યા ત્યારે તે તૂટી પડ્યું હતું. ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં રવિવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા, એમ પ્રાદેશિક નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું.





