ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલે ફરી ચર્ચામાં આવ્યો છે. જેણે ખુલાસો કર્યો છે કે ઈરાનની ગુપ્ત વાતચીતમાં યુએસ હુમલાઓથી થયેલા નુકસાનને ઓછું આંકવામાં આવ્યું છે. યુએસ અધિકારીઓએ ઇન્ટરસેપ્ટેડ માહિતીમાં સાંભળ્યું હતું કે ઈરાની અધિકારીઓ પરમાણુ હુમલાઓ વિશે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાની અધિકારીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તેમને યુએસ હુમલામાં વધારે નુકસાન થયું નથી. સૂત્રોએ યુએસ સરકારની અંદર ચાલી રહેલી ગુપ્ત માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને થયેલા નુકસાનને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શું ઈરાનનું પરમાણુ સ્વપ્ન ખરેખર પૂરું થઈ ગયું છે?
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને થયેલા નુકસાન અંગેના પ્રશ્નોને વધુ વેગ આપ્યો છે. સંરક્ષણ ગુપ્તચર એજન્સીના લીક થયેલા પ્રારંભિક અહેવાલ મુજબ આ હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ફક્ત થોડા મહિના પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાશ કરી દીધો છે. પરંતુ અમેરિકી અધિકારીઓ માને છે કે નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં હજુ પણ સમય લાગશે.
વ્હાઇટ હાઉસે રિપોર્ટને ફગાવી દીધો
વ્હાઇટ હાઉસે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, "એવું વિચારવું કે અનામી ઈરાની અધિકારીઓ સેંકડો ફૂટ કાટમાળ નીચે વાસ્તવિકતા જાણે છે તે બકવાસ છે. તેમનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે." મીડિયા સાથેની મુલાકાતમાં પણ પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો હતો. શોમાં ટ્રમ્પે કહ્યું, "આ હુમલાઓએ ઈરાનની પરમાણુ સુવિધાઓને એવી રીતે નષ્ટ કરી દીધી કે જે પહેલાં ક્યારેય જોવા મળી ન હતી, તેનાથી તેમની પરમાણુ મહત્વાકાંક્ષાઓનો અંત આવ્યો છે''

_b2f13608-f494-4429-8bdd-d75da4b5c76e.jpg)




