India vs England T20I Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ અને વાઈસ-કેપ્ટન તરીકે અક્ષર પટેલ બનાવવામાં આવ્યા છે. સિરીઝની પહેલી મેચ 22 જાન્યુઆરીએ રમાશે. આજે અમે તમને તે 3 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા પરંતુ આ વખતે સિલેક્ટરોએ આ ત્રણ ખેલાડીઓને અવગણ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા તેમના પ્રદર્શનની છે.
1. જીતેશ શર્મા
ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને આ વખતે ઈંગ્લેન્ડ સાથેની ટી20 સિરીઝ માટે તક મળી નથી. આ પહેલા જીતેશ દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી છેલ્લી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તેનું પ્રદર્શન ખાસ નહોતું, જેના કારણે આ વખતે સિલેક્ટરોએ તેને અવગણ્યો છે. જીતેશે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 9 T20 મેચ માત્ર 100 રન જ બનાવ્યા છે.
Not many people would notice, but Jitesh Sharma who was the backup wicket-keeper for Team India in the last 2 T20I series against Bangladesh and South Africa is now dropped without even playing. pic.twitter.com/S4CelnDRk9
— Aditya Saha (@Adityakrsaha) January 11, 2025
2. અવેશ ખાન
ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર અવેશ ખાનની પણ પસંદગી કરવામાં આવી નથી. અવેશ છેલ્લે દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. જેમાં તેમણે 2 મેચમાં ફક્ત 2 વિકેટ લીધી હતી. અવેશ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 25 T20 મેચ રમી ચૂક્યો છે, જેમાં અવેશ 27 વિકેટ લીધી છે.
Double blows from Avesh Khan ✌️
— IndianPremierLeague (@IPL) May 15, 2024
He gets Rajasthan Royals charged up with consecutive wickets in the same over ⚡️⚡️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvPBKS pic.twitter.com/3MvbhYcd6W
3. યશ દયાલ
2024નું વર્ષ યશ દયાલ માટે ખૂબ સારું રહ્યું. IPL 2024માં તેના શાનદાર પ્રદર્શન પછી તેને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક પણ મળી. યશ દયાલ ગયા વખતે દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ આ વખતે સિલેક્ટરોએ યશને પણ અવગણ્યો છે.





















