ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ શપથ લેનાર 24 મંત્રીઓ કેટલું ભણેલા છે તેને લઇને આખા ગુજરાતમાં ઉત્સુકતા છે. દાદાના 3.0 મંત્રી મંડળમાં સૌથી ઓછું ભણેલા નેતામાં હર્ષ સંઘવી છે. જેમનો અભ્યાસ ધોરણ-9 સુધીનો છે. તો નરેશ પટેલ અને સ્વરૂપજી ઠાકોર 10 પાસ છે. જ્યારે કાંતિ અમૃતિયા અને રમેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જો સૌથી વધુ ભણેલા મંત્રીઓની વાત કરીએ તો શપથ લેનારા 3 નેતાઓ પાસે ડોક્ટરેટની ડિગ્રી છે. જેમાં ડો. મનીષાબેન વકીલ, જેમણે MA, B.ed, PHD સુધીનો અભ્યાસ કરેલો છે. ડો. જયરામ ચેમાભાઇ ગામીતે બીએ, એમએ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. અને ડો. પ્રદ્યુમનભાઇ વાજા પાસે MD, LLB, LLMની ડિગ્રી છે. તો એક મંત્રી પૂર્વ IPS અધિકારી પણ છે.
જુઓ કોણ કેટલી ભણેલું?
ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયર
હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)
ધોરણ 9 સુધી ભણ્યા
જીતુ વાઘાણી
બી.કોમ, એલએલબી
નરેશ પટેલ
ધોરણ 10 પાસ
અર્જુન મોઢવાડિયા
બી.ઈ મિકેનિકલ
પ્રદ્યુમન વાજા
LLB, LLM
રમણભાઈ સોલંકી
કૃષિ ડિપ્લોમા
ઋષિકેશ પટેલ
ડિપ્લોમા ઇન સિવિલ
કનુ દેસાઈ
બી.કોમ, એલએલબી
પરસોત્તમ સોલંકી
ઈલેક્ટ્રિકલ ડિપ્લોમા
કુંવરજી બાવળિયા
ઈશ્વરસિંહ પટેલ
B.A., LLB
પ્રફુલ પાનસેરિયા
MA in Political Science
મનીષાબેન વકીલ
MA, B.Ed, PhD
કાંતિ અમૃતિયા
ધોરણ 12
રમેશ કટારા
ધોરણ 12
દર્શનાબેન વાઘેલા
કૌશિક વેકરીયા
પ્રવીણભાઈ માળી
B.A.
રીવાબા જાડેજા
મેકેનિકલ એન્જિનિયર
સ્વરૂપજી ઠાકોર
ધોરણ 10 પાસ
કમલેશ પટેલ (પેટલાદ)
MSc, B.Ed
સંજયસિંહ મહીડા
FYBA
ત્રિકમભાઈ છાંગા
BA, B.Ed, LLB






