દહેગામના લીહોડા ગામમાં રખિયાલ સબ ડિવિઝનમાં વીજ લાઈન પર રીપેરીંગ કામ કરવા વીજ પોલ પર ઉપર ચડેલા તે દરમિયાન ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બાબુસિંહ અંદરસિંહ મકવાણાનું કરંટ લાગતા મોત થયું છે. મૃત પામેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લીહોડા ગામની સીમમાંથી પસાર થતી ખાનપુર વીજ લાઈનના વીજ ટ્રાન્સફોર્મરના વીજ થાંભલા પર મરામત કામ કરવા માટે ઉપર ચડ્યા હતા. તે દરમિયાન બંધ લાઈનમાં વીજ પ્રવાહ પ્રસરી જતા કરંટ લાગવાથી મોત થયું હતું.
દહેગામમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા મોત
ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને કરંટ લાગતા તેમને તાત્કાલીક 108 મારફતે તેમના મૃતદેહને પીએમ માટે રખિયાલ સીએચસી ખાતે મોકલવામાં આવ્યું હતું. વાવાઝોડા અને વરસાદને કારણે સતત બે દિવસથી બંધ ખાનપુર વીજ લાઈનમાં કરંટ ક્યાંથી પ્રસરીયો તે મામલે વીજ અધિકારીઓપોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વીજ કર્મચારીના મોતથી પરિવારજનો તેમજ પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી. રખિયાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે






