Home International Hantavirus Outbreak Who Warning Symptoms Transmission Gujarati News

હંટા વાયરસને લઈને મોટી અપડેટ : લાળ, સ્તનપાન અને શારીરિક સંબંધોથી પણ ફેલાઈ શકે છે આ ચેપ, WHO એ જાહેર કર્યું એલર્ટ

Hantavirus alert
Image Credit: TWITTER
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 06:59 AM IST

Hantavirus alert: કોરોના મહામારીના ભયાનક દિવસોમાંથી માંડ બહાર આવેલી દુનિયા પર હવે વધુ એક રહસ્યમય અને ઘાતક વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ગંભીર ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, દુનિયાભરમાં નવો આતંક મચાવી રહેલા 'એન્ડીઝ હંટાવાયરસ' (Andes Hantavirus) વિશે વૈજ્ઞાનિકો પાસે હજુ પણ અત્યંત મર્યાદિત માહિતી છે. આ વાયરસ માનવ શરીરમાં પ્રવેશ્યા બાદ કેટલા સમય સુધી સક્રિય રહે છે અને સાજો થઈ ગયેલો દર્દી કેટલા દિવસો સુધી બીજા લોકોમાં આ ચેપ ફેલાવી શકે છે, તે વૈજ્ઞાનિકો માટે હજુ પણ એક વણઉકેલાયેલું રહસ્ય છે. આ જીવલેણ ખતરાને જોતા WHO એ હવે યુદ્ધના ધોરણે એક સ્પેશિયલ સ્ટડી (ખાસ સંશોધન) શરૂ કરવાની જાહેરાત કરી છે.

હંટાવાયરસનો આ નવો અને ઘાતક સ્ટ્રેન તાજેતરમાં જ ‘MV Hondius’ નામના એક આંતરરાષ્ટ્રીય ક્રૂઝ શિપ (દરિયાઈ જહાજ) પર ઝડપથી ફેલાયો હતો, જ્યાં તેના કારણે ૧૧ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા અને ૩ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ વૈજ્ઞાનિકોની ચિંતા એટલા માટે વધી ગઈ છે કારણ કે આ વાયરસ માત્ર હવા કે ઉંદરો દ્વારા જ નહીં, પરંતુ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે લાળ, માતાનું દૂધ (સ્તનપાન) અને પુરુષોના સ્પર્મ (વીર્ય) દ્વારા પણ અન્ય લોકોમાં ફેલાઈ રહ્યો છે. એટલે કે આ વાયરસ શારીરિક સંબંધો અથવા નજીકના સંપર્કથી પણ ઘાતક સાબિત થઈ શકે છે.

WHO એ શરૂ કરી સ્પેશિયલ સ્ટડી: ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકો પર વોચ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઉભરતી બીમારીઓ અને જૂનોસિસ યુનિટના વડા મારિયા વાન કેરખોવેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, એન્ડીઝ હંટાવાયરસના છુપાયેલા રહસ્યો ખોલવા માટે ‘નેચરલ હિસ્ટ્રી સ્ટડી’ શરૂ કરવામાં આવી છે. આ સંશોધન અંતર્ગત જે લોકો હાલમાં ક્વોરેન્ટાઇનમાં (આઇસોલેશન) છે, તેમના શરીરના વિવિધ સેમ્પલ (જેમ કે લોહી, લાળ અને સ્પર્મ) નિયમિત અંતરે લેવામાં આવી રહ્યા છે. આ લેબોરેટરી ટેસ્ટિંગ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે વાયરસ દર્દીના શરીરમાં કેટલા દિવસ, અઠવાડિયા કે મહિનાઓ સુધી એક્ટિવ રહે છે. જો કોઈ દર્દી દેખીતી રીતે સાજો થઈ જાય, પરંતુ તેના શરીરમાં વાયરસ લાંબા સમય સુધી જીવતો રહે, તો તે સમાજમાં સુપર-સ્પ્રેડર બની શકે છે.

આ પણ વાંચો: વિદેશ જનારાઓ પર નવો ટેક્સ ઝીંકાશે? : અફવાઓ પર ખુદ PM મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને આપ્યો જડબાતોડ જવાબ

દરિયાઈ જહાજ ‘MV Hondius’ પર મચ્યો હતો હાહાકાર

ચાલુ વર્ષે એપ્રિલ મહિના દરમિયાન ‘MV Hondius’ ક્રૂઝ જહાજ પર જ્યારે આ વાયરસ ફાટી નીકળ્યો ત્યારે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ બંને તેનો ભોગ બન્યા હતા. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ પરથી આવતા મુસાફરોનું કડક મેડિકલ સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે. સામાન્ય હંટાવાયરસ વિશે મેડિકલ સાયન્સ જાણે છે, પરંતુ આ ‘એન્ડીઝ સ્ટ્રેન’ અત્યંત નવો અને અણધાર્યો હોવાથી મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.

હંટાવાયરસનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, માત્ર સપોર્ટિવ કેર ઉપલબ્ધ

હાલના તબક્કે મેડિકલ જગત પાસે હંટાવાયરસની કોઈ ચોક્કસ એન્ટિ-વાયરલ દવા કે ચોક્કસ ઈલાજ (Specific Treatment) ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટરો માત્ર સપોર્ટિવ કેર એટલે કે ઓક્સિજન સપોર્ટ, દુખાવાની દવાઓ અને ફેફસાંની ખાસ દેખભાળ (વેન્ટિલેટર સપોર્ટ) જ આપી શકે છે. જો WHO ની સ્ટડીમાં એવું સાબિત થશે કે આ વાયરસ શરીરમાં લાંબા સમય સુધી જીવતો રહે છે, તો ભવિષ્યમાં સંક્રમિત દર્દીઓ માટે ક્વોરેન્ટાઇનનો સમયગાળો ઘણો લંબાવવો પડી શકે છે. હાલના તબક્કે મેડિકલ જગત પાસે હંટાવાયરસની કોઈ ચોક્કસ એન્ટિ-વાયરલ દવા કે ચોક્કસ ઈલાજ (Specific Treatment) ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટરો માત્ર સપોર્ટિવ કેર એટલે કે ઓક્સિજન સપોર્ટ, દુખાવાની દવાઓ અને ફેફસાંની ખાસ દેખભાળ (વેન્ટિલેટર સપોર્ટ) જ આપી શકે છે. જો WHO ની સ્ટડીમાં એવું સાબિત થશે કે આ વાયરસ શરીરમાં લાંબા સમય સુધી જીવતો રહે છે, તો ભવિષ્યમાં સંક્રમિત દર્દીઓ માટે ક્વોરેન્ટાઇનનો સમયગાળો ઘણો લંબાવવો પડી શકે છે.

આ પણ વાંચો: દુનિયા પર નવો ખતરો : ઈબોલા વાયરસનો આતંક, કોંગોમાં 65 દર્દીઓના મોતથી હાહાકાર, શ્વાસ વાટે ફેલાતા વધ્યું ટેન્શન

આગામી સમયમાં કેવા નિયમો આવી શકે છે?

વૈજ્ઞાનિકોના મતે આગામી થોડા અઠવાડિયા કે મહિનાઓમાં આ રિસર્ચના ફાઈનલ પરિણામો સામે આવી જશે. આ પરિણામોના આધારે વિશ્વભરમાં નવી હેલ્થ ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. ખાસ કરીને હંટાવાયરસમાંથી સાજા થયેલા પુરુષોને ચોક્કસ સમય સુધી શારીરિક સંબંધો ન બાંધવાની, સ્તનપાન કરાવતી માતાઓને સાવચેતી રાખવાની અને લોકોને ખૂબ નજીકના સંપર્કમાં આવવાથી બચવાની કડક સલાહ આપવામાં આવી શકે છે. હાલ પૂરતું, વાયરસથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને સંક્રમિત વિસ્તારોથી દૂર રહેવું એ જ એકમાત્ર ઈલાજ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now