કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે ગુરુવારે લોકસભામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર સરકારનું વલણ શેર કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ચ 2025માં ભારત અને અમેરિકાએ વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે વાટાઘાટો શરૂ કર્યો હતો. ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો હતો. 29 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી પ્રથમ ડિજિટલ બેઠકમાં ચર્ચા દરમિયાન બંને પક્ષોએ વેપાર વાટાઘાટો શરૂ કરવા માટે વિગતવાર સંદર્ભ શરતો (TOR)ને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
''મંત્રાલય નિકાસકારો સાથે વાતચીત કરી રહ્યું છે''
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પછી, નવી દિલ્હી અને વોશિંગ્ટન ડીસીમાં બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની ભૌતિક વાટાઘાટો થયો. તેનો હેતુ TOR મુજબ દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો (BTA)ને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. આ ઉપરાંત બંને પક્ષો વચ્ચે ઘણી વર્ચ્યુઅલ મીટિંગો પણ થઈ. ગોયલે કહ્યું કે, 'અમે અમારા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશુ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "સરકાર તાજેતરની ઘટનાઓના પરિણામોની તપાસ કરી રહી છે. અમે અમારા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નિકાસકારો, ઉદ્યોગો અને તમામ હિસ્સેદારો સાથે વાતચીત કરી રહ્યું છે અને આ મુદ્દા પર તેમના મૂલ્યાંકનના આધારે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
''1 ઓગસ્ટ 2025 સુધી લંબાવવામાં આવ્યો''
તેમણે કહ્યું કે, ''સરકાર ખેડૂતો, મજૂરો, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ, નિકાસકારો, MSME અને ઔદ્યોગિક ક્ષેત્રના હિસ્સેદારોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે અમારા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું" કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે 2 એપ્રિલ 2025ના રોજ યુએસ રાષ્ટ્રપતિએ પારસ્પરિક ટેરિફ પર એક કાર્યકારી આદેશ જારી કર્યો હતો. 5 એપ્રિલ 2025થી 10% બેઝલાઇન ડ્યુટી અમલમાં આવી. 10% બેઝલાઇન ટેરિફ સાથે ભારત માટે કુલ 26% ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. વધારાનો ટેરિફ 9 એપ્રિલ 2025થી અમલમાં આવવાનો હતો. પરંતુ 10 એપ્રિલ 2025ના રોજ તેને શરૂઆતમાં 90 દિવસ માટે લંબાવવામાં આવ્યો અને પછી 1 ઓગસ્ટ 2025 સુધી લંબાવવામાં આવ્યો"
ભારત વૈશ્વિક વિકાસમાં લગભગ 100% યોગદાન આપી રહ્યું છે
પીયુષ ગોયલે કહ્યું કે ''એક દાયકાથી પણ ઓછા સમયમાં ભારત પાંચ નાજુક અર્થતંત્રોમાંથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની ગયું છે. આપણે આપણા સુધારાઓ, આપણા ખેડૂતો, MSME અને ઉદ્યોગસાહસિકોની મહેનતના બળ પર 11મા સૌથી મોટા અર્થતંત્રમાંથી ટોચના 5 અર્થતંત્રોમાંના એક બન્યા છીએ. એવી પણ વ્યાપક અપેક્ષા છે કે આપણે થોડા વર્ષોમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનીશું. આજે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. ભારત વૈશ્વિક વિકાસમાં લગભગ 16% યોગદાન આપી રહ્યું છે''.





