Gold Silver Price Today (11 February 2026) : ભારતીય બજારમાં આજે, 11 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં નાનકડો ઘટાડો જોવા મળ્યો છે. સતત વધતી કિંમતો બાદ આજે બજારમાં થોડી નરમાશ જોવા મળી છે. અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹890 નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે 24 કેરેટ સોનું હવે ₹1,53,080 પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીમાં ગઈકાલનો તોતિંગ ઉછાળો આજે સ્થિર થયો છે અને તે ₹3,00,000 ના સ્તરે મક્કમ છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરીને કારણે આ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં ખરીદી કરનારાઓ માટે આ એક નાનકડી રાહત કહી શકાય. જાણો, આજના તમારા શહેરના લેટેસ્ટ રેટ્સ...
ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
અમદાવાદ
22 કેરેટ: ₹1,45,790 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ: ₹1,53,080 પ્રતિ 10 ગ્રામ
ચાંદી: ₹3,00,000 પ્રતિ 1 કિલો
સુરત
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
વડોદરા
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
રાજકોટ
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
જામનગર
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
ભાવનગર
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
જૂનાગઢ
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
સુરેન્દ્રનગર
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
દાહોદ
22 કેરેટ: ₹1,45,790
24 કેરેટ: ₹1,53,080
ચાંદી: ₹3,00,000
દેશના અન્ય મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
દિલ્હી
22 કેરેટ: ₹1,45,750
24 કેરેટ: ₹1,53,040
ચાંદી: ₹3,00,000
મુંબઈ
22 કેરેટ: ₹1,45,250
24 કેરેટ: ₹1,52,510
ચાંદી: ₹3,00,000
કોલકાતા
22 કેરેટ: ₹1,46,250
24 કેરેટ: ₹1,53,560
ચાંદી: ₹3,00,000
બેંગલુરુ
22 કેરેટ: ₹1,45,850
24 કેરેટ: ₹1,53,140
ચાંદી: ₹3,00,000
હૈદરાબાદ
22 કેરેટ: ₹1,45,800
24 કેરેટ: ₹1,53,090
ચાંદી: ₹3,00,000
ચેન્નાઈ
22 કેરેટ: ₹1,45,800
24 કેરેટ: ₹1,53,090
ચાંદી: ₹3,00,000
સોનામાં ભાવના વધારાના શું છે કારણો?
સોનાના ભાવમાં આવો વધારો અનેક આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ કારણોસર થયો છે જેમ કે:
વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા
ડોલરની સામે રૂપિયાની નબળાઈ
કેન્દ્રિય બેંકો દ્વારા સોનામાં વધુ રોકાણ
સાવધાનીવશ વધુ દાગીનાની ખરીદી
સોનામાં સ્થિરતાથી વધુ માંગ વધી
રોકાણકારો વધુ પ્રમાણમાં સોનાની તરફ વળ્યા
મેકિંગ ચાર્જિસ અને ટેક્સ અલગથી વસૂલવામાં આવે છે-
તમને જણાવી દઈએ કે ઉપરોક્ત સોના અને ચાંદીના દરો કોઈ ચાર્જ લીધા વિના અને GST વિના ક્વોટ કરવામાં આવે છે. Moneycontrol દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને ટેક્સ અને મેકિંગ ચાર્જ વગર સોના અને ચાંદીના દરો જણાવવામાં આવ્યા છે. Moneycontrol દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશ માટે સમાન છે. આમાં કોઈ GST સામેલ નથી. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા મેળવો છો, તો તમારે GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
કેરેટ શું છે અને સૌથી શુદ્ધ સોનું કયું છે?
શુદ્ધ સોનું 24k માનવામાં આવે છે અને તેના શુદ્ધ સ્વરૂપમાં 99.9 ટકા સોનું કહેવાય છે. સોનાનું માપ એ કેરેટ પદ્ધતિ છે. કેરેટનો અર્થ 'K' થાય છે. કેરેટ જણાવે છે કે, જ્વેલરી અથવા સોનાની વસ્તુમાં કેટલું શુદ્ધ સોનું ઉમેરવામાં આવ્યું છે. સોનું જેટલું શુદ્ધ, કેરેટનું મૂલ્ય તેટલું વધારે. સૌથી સામાન્ય કેરેટ મૂલ્યો 24, 22, 18 અને 14 છે. 24K સિવાય, તમામ કેરેટમાં, મજબૂતી અને સ્થિરતા માટે તાંબુ અથવા ચાંદી જેવી ધાતુઓ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે, સોનાની ચોક્કસ ગુણવત્તા અથવા શુદ્ધતા માત્ર જોઈને જાણી શકાતી નથી કારણ કે તે સમાન દેખાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય ગ્રાહક માટે ગુણવત્તાની ખાતરી કરવી મુશ્કેલ છે. BIS સોનાને તેની ગુણવત્તા અનુસાર હોલમાર્ક કરીને પ્રમાણિત કરે છે. તમારે માત્ર હોલમાર્કેડ સોનું ખરીદવું જોઈએ કારણ કે તે શુદ્ધતાની ગુણવત્તાને પ્રમાણિત કરે છે અને તમે જે માટે ચૂકવણી કરી રહ્યા છો તે તમને બરાબર મળે છે.
રોકાણ માટે કયું કેરેટ શ્રેષ્ઠ છે?
આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે જો તમે સોનાની વસ્તુ ખરીદી રહ્યા છો, જેને તમે રોકાણ કહી રહ્યા છો, તો તેની કિંમત શું હોવી જોઈએ. તમારે 24 કેરેટ ખરીદવું જોઈએ કે 22 કેરેટ? એક વાત જાણી લો, સોનાની શુદ્ધતા જેટલી સારી હશે, તમારી વસ્તુની કિંમત જેટલી વધારે હશે તેટલું સોનું મોંઘું થશે. રોકાણના દૃષ્ટિકોણથી, 24k અથવા 22k જેવું ઉચ્ચ શુદ્ધતાનું સોનું પસંદ કરવું વધુ સારું છે. તમારા શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત આજે સમયની સાથે વધતી જોવા મળી રહી છે, તેથી તે એક સારું રોકાણ કહેવાય છે. જોકે 22k સોનું રોકાણ માટે ખરાબ નથી, પરંતુ જો આપણે બંનેની સરખામણી કરીએ તો 24k સોનું વધુ સારું છે.
તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીની કિંમત ચકાસી શકો છો-
તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. આ માટે તમારે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આપેલા નંબર 8955664433 પર કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલના થોડા સમય પછી, તમને SMS દ્વારા દર જાણવા મળશે. આ સિવાય તમે Moneycontrol ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ રેટ ચેક કરી શકો છો.
ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે, Moneycontrol તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. Moneycontrol દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.




















