Home Gujarat Ganesh Gondal Undergoes Narco Test In Rajkumar Jats Death Case

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ : રાજકુમાર જાટના મોતનું સત્ય ટૂંક સમયમાં આવશે બહાર!, 15 ડિસેમ્બરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 11, 2025, 12:02 PM IST

રાજકુમાર જાટ કેસનું સત્ય બહાર લાવવા માટે સોમવારથી શરુ થયેલો શકમંદ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગુરુવારે ગાંધીનગર ખાતે પૂર્ણ કરાયો છે.

સોમવારથી ગાંધીનગર FSL ખાતે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.વિવિધ કાનૂની પ્રક્રિયા અને તબીબી પરીક્ષણો બાદ FSLના નિષ્ણાંતોની ટીમ દ્વારા બંધબારણે નિયમનુસાર નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરુ કરાઈ હતી

સોમવારે સાંજ સુધી કાગળ પ્રક્રિયા અને કાઉન્સેલિંગ બાદ બીજા દિવસથી તબીબી પરીક્ષણ તથા અન્ય પ્રક્રિયા શરુ કરવામાં અવી હતી અને અંતે ગુરુવારે સવારથી મુખ્ય પ્રક્રિયા શરુ થઇ હતી જે ગુરુવારે બપોર પછી પૂર્ણ થઇ હતી.

કોર્ટની મંજુરી બાદ કરાયો નાર્કો ટેસ્ટ

રાજકુમાર જાટના મોત મામલે સત્ય બહાર લાવવા SITની રચના કરવામાં અવી છે.સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને SIT ચેરમેન બનાવવામાં આવ્યા છે.પ્રેમસુખ ડેલુએ થોડા દિવસો પૂર્વે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવવામાટે કોર્ટ પાસે મંજુરી માંગી હતી,કોર્ટની મંજુરી બાદ સોમવારથી નાર્કો  ટેસ્ટની પ્રક્રિયા શરુ થઇ હતી

SIT ચીફ IPS પ્રેમસુખ ડેલું FSL ખાતે રહ્યા હાજર

SIT ચીફ અને સુરેન્દ્રનગરના SP પ્રેમ સુખ ડેલું આજે ગાંધીનગર FSL ખાતે હાજર રહ્યા હતા,નાર્કો ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ અંગે માહિતી આપતા IPS પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે આજે નાર્કોટેસ્ટ પૂર્ણ થયો છે રીપોર્ટ આવી જશે પછી હાઈકોર્ટમાં રીપોર્ટ સબમિટ કરવામાં આવશે


'15 ડિસેમ્બરે રિપોર્ટ આવશે'

તપાસ અધિકારી સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, 'હાઇકોર્ટની સુચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નથી. અધિકારીઓ FSL ટીમ સાથે ચર્ચા કરી રહી છે. આ પ્રકિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે'. વધુમાં કહ્યું કે, '15 ડિસેમ્બર રિપોર્ટ આવશે અને ત્યારબાદ હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. વીડિયો ગ્રાફી કોર્ટમાં જમાં થશે. 8 થી 13 ડિસેમ્બર સુધીના નાર્કો ટેસ્ટ માટેનો સમય આપવામાં આવ્યો હતો. SOP આધારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને વકીલની હાજરીમાં જ આ આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે'

નાર્કો ટેસ્ટ શું છે ?

નાર્કો ટેસ્ટ એટલે કેટલીક એવી દવા-ઈન્જેક્શન આપવામાં આવે છે કે, જેની અસર માણસની વિચારશક્તિ પર પડે છે અને વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ દવા પછી વ્યક્તિ બેભાન હાલતમાં થઈ જાય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાયમાં આવે છે. જેના કારણે કેસ ઉકેલવામાં સરળતા થઈ જાય છે.

કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા કેમ માન્ય નથી?

પાપ્ત વિગતો મુજબ દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી ફક્તને ફક્ત સત્ય જ બોલશે. વ્યક્તિ સંપૂર્ણ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ હોતો નથી. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ