India Earthquake: સોમવારે (5 જાન્યુઆરી, 2026) વહેલી સવારે પૂર્વોત્તર ભારતના બે રાજ્યોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપોમાંથી એક ત્રિપુરામાં અને બીજો આસામમાં આવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
ત્રિપુરામાં ભૂકંપ
તીવ્રતા: રિક્ટર સ્કેલ પર 3.9
સમય: સવારે 3:33 વાગ્યે
કેન્દ્ર: ગોમતી જિલ્લો
ઊંડાઈ: પૃથ્વીની સપાટીથી 54 કિલોમીટર નીચે
આસામમાં ભૂકંપ
તીવ્રતા: રિક્ટર સ્કેલ પર 5.1
સમય: સવારે 4:17 વાગ્યે
કેન્દ્ર: મોરીગાંવ જિલ્લો
ઊંડાઈ: પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર નીચે
આસામના ભૂકંપના આંચકા માત્ર આસામમાં જ નહીં, પરંતુ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા. લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ નુકસાન થયું નથી.
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વીની અંદર સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો છે, જે સતત ધીમે ધીમે ખસતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે કે ફોલ્ટ લાઇન પર ઘર્ષણ થાય છે, ત્યારે સંગ્રહિત ઊર્જા મુક્ત થાય છે અને ભૂકંપના આંચકા ઉત્પન્ન થાય છે. ઉત્તરપૂર્વ ભારત ઉચ્ચ ભૂકંપીય જોખમવાળા વિસ્તારમાં આવે છે, તેથી અહીં વારંવાર ભૂકંપ આવતા હોય છે.





















