Home International Earthquake Devastates Thailand Indian Embassy Issues Emergency Number

થાઈલેન્ડમાં ભૂકંપથી જયાં જુઓ ત્યાં તબાહી : ભારતીય દૂતાવાસે જાહેર કર્યો ઈમરજન્સી નંબર

થાઈલેન્ડમાં ભૂકંપથી જયાં જુઓ ત્યાં તબાહી
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 12:43 PM IST

થાઈલેન્ડ અને મ્યાનમારમાં ત્રાટકેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મોટાપાયે વિનાશ સર્જાયો હતો. જેના કારણે બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે +66 618819218 નંબર જાહેર કર્યો છે.

ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું અને તેની અસર બેંગકોક સહિત સમગ્ર થાઈલેન્ડમાં જોવા મળી હતી. ભૂકંપના કારણે બહુમાળી ઈમારતોના પૂલમાંથી પાણી વહેવા લાગ્યું અને ઘણી ઈમારતો પરથી કાટમાળ પડવા લાગ્યો. આ દરમિયાન લોકો ડરી ગયા અને બહાર દોડી ગયા. ભૂકંપ બાદ 6.4ની તીવ્રતાનો આફ્ટરશોક પણ નોંધાયો હતો, જેણે લઈને લોકોમાં ભયનો માહોલ છે. 

ભારતીય દૂતાવાસે નંબર જાહેર કર્યા
બેંગકોકમાં ભારતીય દૂતાવાસે થાઈ અધિકારીઓ સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર રાખી અને માહિતી આપી કે અત્યાર સુધી કોઈ ભારતીય નાગરિકના જાનહાનિના સમાચાર નથી. બેંગકોક અને ચિયાંગ માઈમાં ભારતીય દૂતાવાસના તમામ સભ્યો સુરક્ષિત છે. સાથે જ ઈમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યો હતો. થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસનું કહેવું છે કે જો કોઈ ભારતીય નાગરિક ક્યાંય પણ ફસાયેલો હોય તો તેઓ આ નંબર (+66 618819218) પર કૉલ કરી શકે છે.


બેંગકોકમાં ચતુચક માર્કેટ પાસે એક નિર્માણાધીન બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેન લગાવેલી ઈમારત અચાનક ધૂળના વાદળો સાથે ધરાશાયી થઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે કોઈ સ્પષ્ટ આંકડો નથી. પોલીસ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,